July 11th 2017

કૃપા મળી જાય

..Image result for ગણનાથ..
.         કૃપા મળી જાય
તાઃ૧૧/૭/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ગજાનંદ ગણનાથ સંગે ગણપતિય,માતા પાર્વતીના સંતાન પણ કહેવાય
પિતા ભોલેનાથની અજબશક્તિ મળી છે,જે તેમને વંદનથી મળી જાય
.....અવનીપરના આત્માને શ્રધ્ધા ભક્તિએ,ગણેશજીની કૃપા પણ મળી જાય.
શિવલીંગને દુધ અર્ચના કરી,ગજાનંદને પગે લાગીને ધુપદીપ પણ કરાય
મળેકૃપા મને અજબશક્તિશાળી માબાપની,જ્યાં પુત્ર ગણેશજી હરખાય
આગમન અવનીપરનુ જીવને કર્મથીબાંધે,નિર્મળભક્તિએ જીવથીછટકાય
અંતરમાં આનંદમળે દેહને જીવનમાં,જ્યાં ૐ ગં ગણપતયે નમઃ બોલાય
.....અવનીપરના આત્માને શ્રધ્ધા ભક્તિએ,ગણેશજીની કૃપા પણ મળી જાય.
પવિત્રરાહ મળે જીવને કૃપાએ,જ્યાં સંગે માતા રીધ્ધી સિધ્ધીય રાજી થાય
વંદન કરીને હાથ જોડી પગે લાગતા,જીવને કૃપાએ પાવનરાહ મળી જાય
કર્મના સંબંધ એ બંધન જીવના,અવનીપર આવનજાવનથી સમજાઈ જાય
મુક્તિમાર્ગ મળે જીવને,જ્યાં માતાપાર્વતીસંગે પિતા ભોલેનાથની કૃપા થાય 
.....અવનીપરના આત્માને શ્રધ્ધા ભક્તિએ,ગણેશજીની કૃપા પણ મળી જાય.
==========================================================

	
July 8th 2017

મળ્યો ભક્તિપ્રેમ

...Related image...
.          .મળ્યો ભક્તિપ્રેમ
તાઃ૮/૭/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળ્યો જીવનમાં નિર્મળ ભક્તિપ્રેમ,જ્યાં શ્રી હનુમાનજીની કૃપા થઈ
નિર્મળ ભાવે શ્રી રામનામનુ સ્મરણ કરતા,સીતામાતા આવ્યા અહીં
......એજ કૃપા હનુમાનજીની  કહેવાય,જે ભક્તિમાર્ગની રાહ આપી ગઈ.
અજબ શક્તિશાળી છે શ્રીરામના ભક્ત,પાવનરાહે ગદા પકડાઈ ગઈ
સીતામાતાની શોધ કરી અવનીએ,જ્યાં પ્રભુશ્રીરામની કૃપા મળી ગઈ
પવનપુત્રની અજબતાકાત હતી,જેમાતા અંજનીના આશિર્વાદ કહેવાય
રામનામનુ સતત સ્મરણ કરતા,લંકેશ્વર શ્રી રાવણનુ દહનએ કરી જાય
......એજ કૃપા હનુમાનજીની  કહેવાય,જે ભક્તિમાર્ગની રાહ આપી ગઈ.
માયા નાસ્પર્શે કાયાને જીવનમાં,જ્યાં નિર્મળભાવે અંતરથી ભક્તિ થાય
ભક્તિભાવે વંદન કરતા,શ્રી રામ ભક્ત હનુમાનજી આંગણે આવી જાય
શ્રીરામ જયરામ જયજલારામ,શ્રીરામ જયરામ જયસાંઇરામની માળાથતાં
મળેલજન્મ માનવીનો જીવને પરમાત્મા કૃપાએ,પાવનરાહના પગલે જાય
......એજ કૃપા હનુમાનજીની  કહેવાય,જે ભક્તિમાર્ગની રાહ આપી ગઈ.
=======================================================
July 7th 2017

રાહ પ્રેમની

.           .રાહ પ્રેમની
તાઃ૭/૭/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કર્મનાબંધન જન્મથી સ્પર્શે જીવને,જે અવનીપરના આગમને દેખાય
કુદરતની આ લીલા છે જગતપર,માનવદેહ મળતા ઉંમર અડી જાય
.....પાવન જીવનની કેડી મળતા,નિર્મળ જીવન સંગે રાહ પ્રેમની મેળવાય.
મળેલ જીવનની જ્યોતપ્રગટે અવનીએ,જ્યાં પવિત્રભાવે ભક્તિ થાય
નાકોઇ આશા રાખતા થતી ભક્તિએ,નિર્મળતાની ગંગા સ્પર્શી જાય
સ્નેહ મળે જ્યાં દેહને જીવનમાં,જે પરમાત્માની પરમ કૃપાય કહેવાય
સદબુધ્ધીની પાવનકેડીએ જીવતા,મળેલ દેહે જીવનેશાંંન્તિ મળી જાય
.....પાવન જીવનની કેડી મળતા,નિર્મળ જીવન સંગે રાહ પ્રેમની મેળવાય.
જીવને મળેલદેહ એ કરેલ કર્મનાસંબંધ,જગતમાં ના કોઇથીય છટકાય
જન્મમળે જ્યાં માનવદેહનો જીવને,ત્યાં પશુપક્ષી પ્રાણીથી દુર રહેવાય
સમજણનો સંગાથરહે જીવનમાં,પાવનપ્રેમનોસંગ નિર્મળજીવન દઈ જાય
અદભુત લીલા અવિનાશીની અવનીએ,જે પવિત્રપ્રેમના સંબંધે સમજાય
.....પાવન જીવનની કેડી મળતા,નિર્મળ જીવન સંગે રાહ પ્રેમની મેળવાય.
=======================================================

	
July 7th 2017

અંતરમાં અજવાળુ

.          .અંતરમાં અજવાળુ 

તાઃ૭/૭/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવ જીવનની જ્યોત પ્રગટે,જ્યાં નિર્મળ ભક્તિ શ્રધ્ધાએ થાય
પરમકૃપાળુ છે પરમાત્મા અવનીએ,એજ દેહને પરમશાંન્તિ આપી જાય
.....ના કળીયુગ સ્પર્શે દેહને,કે નામોહમાયાની લાગણી જીવનમાં અથડાય.
મળેલ દેહ એ કરેલ કર્મના બંધન છે,ના કોઇ જીવથી કદીય છટકાય
યુગનો સમય એ દેહનેજ સ્પર્શે,જે જીવનમાં થતા કર્મથીજ અનુભવાય
માનવજીવન એજ કૃપા પ્રભુની,શ્રધ્ધા ભક્તિએ જ અંતરને સ્પર્શી જાય
જીવનેસ્પર્શે કર્મદેહના અવનીએ,સત્કર્મથી અંતરમાં અજવાળુ થઈ જાય
.....ના કળીયુગ સ્પર્શે દેહને,કે નામોહમાયાની લાગણી જીવનમાં અથડાય.
પવિત્રકર્મનો સ્પર્શ રહે દેહને,જ્યાં પાવનકૃપા પવિત્ર જીવથી મળી જાય
દેખાવની દુનીયાજ દુર રહે,જ્યાં સંત જલાસાંઇથીજ પવિત્રરાહ મેળવાય
ના અભિમાનની દોર મળે જીવને,કે ના દેખાવની ભક્તિ માળા પકડાય
એજ કૃપાપ્રભુની જીવપર,નિર્મળ ભક્તિએ પરમાત્મા આંગણે આવી જાય
.....ના કળીયુગ સ્પર્શે દેહને,કે નામોહમાયાની લાગણી જીવનમાં અથડાય.
========================================================

	
July 6th 2017

કેડી જલારામની

.....Image result for jay jalaram.....
.          .કેડી જલારામની

તાઃ૬/૭/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિરપુર ગામને પવિત્ર કરવા,પવિત્ર જીવ અવનીપર દેહ લઈ જાય
માતા રાજબાઈને પિતા પ્રધાનના,વ્હાલા સંતાન જલારામ કહેવાય
...અનેક જીવોને ભોજન ખવડાવી,પ્રભુકૃપા પામવાની રાહએ આપી જાય.
ના દેખાવની દુનીયા અડી કે નાકોઇ,મોહમાયાની ચાદર અડી જાય
નિર્મળ જીવન ને ભક્તિ ભાવના સંગે,માનવ જીવન એ જીવી જાય
શ્રધ્ધારાખી માનવતા મહેંકાવી,જ્યાં નિરાધારજીવોને ભોજન દઈજાય
પરખ કરવા આવ્યા પરમાત્મા વિરપુરમાં,ઝોળીડંડો દઈ ભાગી જાય
...અનેક જીવોને ભોજન ખવડાવી,પ્રભુકૃપા પામવાની રાહએ આપી જાય.
જલારામના જીવનસંગીની વિરબાઈ,જે પવિત્રરાહે પતિસંગે રહી જાય
મળેલદેહની મહેંક પ્રસરી અવનીએ,જ્યાં અનેક જીવોને ભોજન દેવાય
ઉજવળ જીવની નામાગણી કોઇ પ્રભુથી,મળેલ સંસ્કારથીએ સચવાય
કૃપા પરમાત્માની મળેલ જીવને,જ્યાં અવનીપર થતા કર્મથી સમજાય
...અનેક જીવોને ભોજન ખવડાવી,પ્રભુકૃપા પામવાની રાહએ આપી જાય.
======================================================
 

 

July 6th 2017

सांइके चरणोमें

Image result for sai baba
.         .सांइके चरणोमें  

ताः७/६/२०१७          प्रदीप ब्रह्मभट्ट

श्रध्धा भक्ति और प्रेमको लेकर,प्रदीप तुम्हारे चरणमें आया है
आशिर्वादकी पावनराह मिली आपकी,जीवनमें शांंन्ति पायी है
......बाबा आप परमक्रुपाळु देव है,मुझे जीवनमें अनुभुती मील जाती है.
आया द्वार तुम्हारे श्रध्धासे,साथमे मेरी संगीनी रमाभी आयी है
क्रुपाकी पवित्रकेडी मीलीहै,जोमुझे जीवनमें शांंन्तिही देजाती है
चरणमेंआकर नमन करके,ॐ श्री सांइनाथायका मंत्र जपता हु
प्रेमऔर आशिर्वाद मीलताहे,जहांआपकी पावनक्रुपा होजाती है
......बाबा आप परमक्रुपाळु देव है,मुझे जीवनमें अनुभुती मील जाती है.
निर्मळराह मीलती है जीवनमें,जहां सांइबाबाकीक्रूपा होजाती है
नाकोइ आशा नाकोइ अपेक्षा रहेती,येहीतो आशीर्वादहै आपका
पवित्रधाम हो गया शेरडी अवनीपर,जहां आपने अवतरण कीया
मील गया निर्मळ जीवन मुझे,जहां मेरे संतानभी पावनराह चले
......बाबा आप परमक्रुपाळु देव है,मुझे जीवनमें अनुभुती मील जाती है.
========================================================

	
July 5th 2017

ના પકડાય

.           .ના પકડાય 

તાઃ૫/૭/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરના આગમનને સંબંધ સ્પર્શે,આ જગતમાં નાકોઇથી છટકાય
જીવને મળેલ આ દેહ અવનીએ,જે કર્મની સાંકળથી જ પકડાઈ જાય
....અનેકદેહ મળે જીવને અવનીએ,ફક્ત માનવદેહ મળે જ્યાં સમજીને જીવાય.
કર્મબંધનની સાંકળ છે નિરાળી,જે જીવને ધરતીપર દેહ મળે સમજાય
કુદરતની અજબલીલા છે જગત પર,ના કોઇ જ દેહથી અહીં છટકાય
ગઈકાલ એભુતકાળ કહેવાય,અને આવતીકાલ એ બની જાયછે આજ
નાકોઇથી પકડાય સમયને અવનીએ,કે નાકોઇથી એની સાથે રહેવાય
....અનેકદેહ મળે જીવને અવનીએ,ફક્ત માનવદેહ મળે જ્યાં સમજીને જીવાય.
જગતપર સમયની સાથે ચાલવુ પડે,એ પરમાત્માની કૃપાએ જ સમજાય
મળેલ દેહને સંગ રહે જીવનમાં,જ્યાં દેખાવથી ના કોઇથીય દુર રહેવાય
જન્મમળે જ્યાં જીવને અવનીપર,જેને ઉંમર અડે જેદેહને મૃત્યુથી દેખાય
જીવનેસંબંધ આગમનવિદાયથી મળે,ના કોઇની તાકાત એને પક્ડી જાય
....અનેકદેહ મળે જીવને અવનીએ,ફક્ત માનવદેહ મળે જ્યાં સમજીને જીવાય.
===========================================================
July 4th 2017

કુદરતની સાંકળ

....Related image....
            . કુદરતની સાંકળ
તાઃ૪/૭/૨૦૧૭                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અંતરનુ અજવાળુ જીવન ઉજવળ કરી જાય,જે અનુભવથી સમજાઇ જાય
મળેલ પ્રેમનીસાંકળે આ જીવનમાં,પાવનકર્મે જીવને સંબંધ નાવળગી જાય
......એ જ કૃપા અવિનાશીની જગતમાં,મળેલ દેહનુ જીવન સાર્થક કરી જાય.
અનેક સાંકળ છે ધરતી પર,જે સમય સમયે મળેલ દેહને અડતા સમજાય
ભક્તિમાર્ગની પવિત્ર સાંકળ જગત પર,પરમાત્માની એ કૃપા અપાવી જાય
પવિત્ર રાહે સમય સંગે જીવન જીવતા,દેહને ના કોઇ આફત મળતી જાય
નાઅપેક્ષાએ સાથ મળે સંબંધીઓનો,એજ મળેલ દેહને ઉજવળ કરી જાય
......એ જ કૃપા અવિનાશીની જગતમાં,મળેલ દેહનુ જીવન સાર્થક કરી જાય.
સમયની સાંકળ નાકોઇથી છટકાય,જે જીવનમાં અનુભવથીજ સમજાઇ જાય
મોહમાયાને વિચારીને અડતા જીવનમાં,જલાસાંઇ કૃપાએ પાવનજીવન જીવાય
સમજણની સાંકળ તોછે નિરાળી,જે અનુભવતા જીવ પાવનરાહે દોરાઈ જાય
કળીયુગ સતયુગ એ કુદરતની લીલા,અવનીપર નિખાલસ જીવનથીજ બચાય
......એ જ કૃપા અવિનાશીની જગતમાં,મળેલ દેહનુ જીવન સાર્થક કરી જાય.

============================================================
July 3rd 2017

જન્મ દીવસ

Image result for રમા બ્રહ્મભટ્ટ,હ્યુસ્ટન
.        .જન્મ દીવસ 
તાઃ૩/૭/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જન્મદીવસ છે રમાનો આજે,જે મારી જીવનસંગીની કહેવાય
પાવનપ્રેમની ગંગા લઈને માબાપની,મને આપી રહી છે પ્રેમ
.....એજ મને મળી જાય છે,જે મારા સંતાનના પાવન જીવનથી દેખાય.
પરમપ્રેમ મને મળ્યો છે રમાનો,ત્યાં પાવન રાહે જીવન જીવાય
કર્મનો સંબંધ એ કૃપા જલાસાંઇની,જે મળતા શાંન્તિ થઈ જાય
પાળજગામની મહેંકપ્રસરાવી,જ્યાં મારી જીવનસંગીની બની જાય
આણંદ આવી પ્રેમ વહેવડાવી,મારી સંગે એ હ્યુસ્ટન અવી જાય
.....એજ મને મળી જાય છે,જે મારા સંતાનના પાવન જીવનથી દેખાય.
આજકાલને નાઅંબાય કોઇથી જીવનમાં,મળેલ દેહને સ્પર્શી જાય
માતાપિતાના આશીર્વાદ રવિ,દીપલને,પવિત્રકર્મે જીવનજીવી જાય
માગણીમોહને દુર રાખીને જીવતા,ભણતરની પવિત્રકેડીમળી જાય
જન્મ દીવસની ઉજવળી કરતા,આજે રમા સત્તાવન વર્ષની થાય
.....એજ મને મળી જાય છે,જે મારા સંતાનના પાવન જીવનથી દેખાય.
=======================================================

	
July 2nd 2017

સરળ જ્યોત

....Image result for સરળ જ્યોત...
.           .સરળ જ્યોત    

તાઃ૨/૭/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલદેહને અવનીએ સંબંધ સ્પર્શે,જે મળેલ જ્યોતથી પ્રગટી જાય
કર્મની નિર્મળકેડી એ દેહનો સંબંધ,અવનીપરના આગમને સમજાય
.....મહેંક પ્રસરે માનવતાની સંસારમાં,જે સંત જલાસાંઇની કૃપાએ મેળવાય.
કૃપાની નિર્મળરાહ એ દેહને સ્પર્શે,જે કર્મના બંધનથી જ મળી જાય
કુદરતની આ અજબલીલા જગતપર,મળેલ દેહથી કદીય ના છટકાય
માનવદેહએ રાહદે જીવને,જે થકી શ્રધ્ધાએ જીવને મુક્તિપણ દેખાય
કર્મના બંધન કળીયુગમાં જકડે જીવને,એ સરળ જ્યોતથી દુર જવાય
.....મહેંક પ્રસરે માનવતાની સંસારમાં,જે સંત જલાસાંઇની કૃપાએ મેળવાય.
ભક્તિભાવનાએ જીવને જીવતા,પાવનરાહ દેહને અવનીએ મળી જાય
મોહમાયા ના જકડે દેહને,જે પરમાત્માની કૃપાએ પાવનરાહ દઈ જાય
આગમન વિદાયનો સંબંધ ના રહે જીવને,જ્યાં પ્રભુની દ્રષ્ટિ પડી જાય
નિર્મળ જીવન મળે ભક્તિએ અવનીએ,જે જીવનો અંતીમ દેહ કહેવાય
.....મહેંક પ્રસરે માનવતાની સંસારમાં,જે સંત જલાસાંઇની કૃપાએ મેળવાય.
=========================================================
« Previous PageNext Page »