August 15th 2017
. .પાવનરાહ
તાઃ૧૫/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પરમ કૃપા જગતપર,અનેક જીવોને અનુભવથી સમજાય
નામાયા સ્પર્શે જીવનમાં જીવને,એજ પાવનરાહ જે જીવથી મેળવાય
....મળેલ દેહને નિર્મળશ્રધ્ધાએ કરેલ ભક્તિ,જીવને અનંતશાંંન્તિ આપી જાય.
અવનીપરના આગમનને સંબંધ કર્મથી,જે જીવને અનેક દેહ દઈ જાય
લાગણીમોહ જગતમાં જીવને જકડે,અનેક દેહના બંધનથી જકડી જાય
પાવન રાહ મળે જીવને અવનીએ,જે મળેલ દેહના વર્તનથી જ દેખાય
શ્રધ્ધારાખી ભક્તિ કરતા કૃપા મળે,જે સંત જલાસાંઇથી માર્ગ મેળવાય
....મળેલ દેહને નિર્મળશ્રધ્ધાએ કરેલ ભક્તિ,જીવને અનંતશાંંન્તિ આપી જાય.
પવિત્ર જીવનની રાહમળે જે જીવને,એ અનેક જીવોને રાહ આપી જાય
પાવનકર્મએ નિર્મળ જીવનનેસ્પર્શે,જેથકી જીવનમાં ના આફત અડીજાય
કુદરતની આજ અજબ લીલા છે અવનીએ,અબજો વર્ષોથી અનુભવાય
જન્મમરણ એ સંબંધછે જીવના,કરેલ કર્મના બંધનથી અવનીપર અવાય
....મળેલ દેહને નિર્મળશ્રધ્ધાએ કરેલ ભક્તિ,જીવને અનંતશાંંન્તિ આપી જાય.
==========================================================
No comments yet.