August 18th 2017
. .પ્રેમ બંધન
તાઃ૧૮/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ દેહને અવનીપર,અનેક સંબંધનો સંગાથ મળી જાય
કયો સંબંધ ક્યારે મળે દેહને,પરમાત્માની પરમકૃપાએ જ સમજાય
....અનેક યુગ સ્પર્શેછે જગતપર,જે જીવને દેહ મળે કર્મનીકેડી આપી જાય.
પાવનરાહની કેડી મળે દેહને,જે નિખાલસ ભક્તિથીએજ મેળવાય
નાકોઇજ અપેક્ષાની માગણીરહે જીવનમાં,કેનાકોઇ દુષ્કર્મ પણથાય
માનવજીવનને સ્પર્શે છે કળીયુગ,જે અનેક કર્મના સંબંધથી દેખાય
નિર્મળ જીવન એ કૃપા જલાસાંઇની,જે માનવ જીવનને દોરી જાય
....અનેક યુગ સ્પર્શેછે જગતપર,જે જીવને દેહ મળે કર્મનીકેડી આપી જાય.
દેહ મળતા જીવને અનેક સંબંધ મળે,જે કુળની કેડી મળે દેખાય
નિર્મળ કર્મની રાહ મળે,જ્યાં શ્રધ્ધાએ પાવન ભક્તિ પ્રેમથી થાય
મોહમાયા નાઆંગણે આવે જીવનમાં,જ્યાં નિર્મળ પ્રેમબંધન થાય
એજ પવિત્રરાહ જીવને મળેલ દેહની,નાઆફત આંગણેઆવી જાય
....અનેક યુગ સ્પર્શેછે જગતપર,જે જીવને દેહ મળે કર્મનીકેડી આપી જાય.
========================================================
No comments yet.