September 12th 2017

સરળ કેડી

.              .સરળ કેડી         

તાઃ૧૨/૯/૨૦૧૭                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
નિર્મળ જીવનની રાહ મળે દેહને,જે સત્કર્મના સંગાથથી સરળ કેડી આપી જાય
પાવનકર્મ એ કુદરતની કૃપાછે જીવ પર,કર્મના બંધન જન્મમરણને સ્પર્શી જાય
.....અદભુતલીલા અવિનાશીની જગતપર,જે જીવને મળતા દેહ થકી સમજાઈ જાય.
અનેક દેહોના સંબંધ છે જીવને અવનીપર,કરેલ કર્મથી આવનજાવનથી દેખાય
કુદરતની કૃપા એ સરળ જીવનની રાહ આપે,જે થકી મળેલ દેહથી કર્મો થાય
શ્રધ્ધા સંગે પવિત્ર ભાવથી ભક્તિ કરતા,પરમાત્માના નિર્મળ પ્રેમની વર્ષા થાય
ના કળીયુગ કે ના મોહમાયા અડે જીવને,જે જીવનમાં સરળ કેડી આપી જાય
.....અદભુતલીલા અવિનાશીની જગતપર,જે જીવને મળતા દેહ થકી સમજાઈ જાય.
કુદરતની આફતને ના આંબે કોઇ જીવનમાં,કે ના કોઇનાથીય કદીય છટકાય
મળેલદેહને પાવનરાહ મળે પરમાત્માની કૃપાએ,મળેલદેહની જ્યોત પ્રગટી જાય
સંત જલાસાંઇની પાવનરાહ સમજતા,અનેક જીવોનો પાવનપ્રેમ પણમળી જાય
ના અપેક્ષા કોઇ જીવનમાં સ્પર્શે દેહને,કે ના કોઇનીય ખોટી દ્રષ્ટિય પડી જાય
.....અદભુતલીલા અવિનાશીની જગતપર,જે જીવને મળતા દેહ થકી સમજાઈ જાય.
================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment