May 23rd 2019
. .સમયનો સંગ
તાઃ૨૦/૪/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને માનવતાનો સંગાથ મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાએ પુંજન થાય
નિર્મળભાવનાથી ભક્તિ કરતા,મળેલદેહ પર પરમાત્માની કૃપા થઈ જાય
.....કુદરતની કૃપા મળી જાય દેહને,જે સમયના સંગે પાવનકર્મ કરાવી જાય.
આજકાલને સમજી ચાલતા જીવનમાં,પવિત્ર સમયનો સંગાથ મળી જાય
કુદરતની પાવનકૃપા મળે દેહને,જે મળેલદેહને થઈ રહેલકર્મથીજ દેખાય
સરળરાહ જીવને મળે જગતમાં,એ સંત જલાસાંઇની પાવનરાહ કહેવાય
આવી આંગણે કૃપા મળે પ્રભુની,જે દરેક કર્મને પાવનરાહ સંગે મેળવાય
.....કુદરતની કૃપા મળી જાય દેહને,જે સમયના સંગે પાવનકર્મ કરાવી જાય.
જીવને મળેલદેહને ઉંમરનો સંગાથરહે,એ સમજણ સંગે જીવન આપીજાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે સત્કર્મના વર્તનથી દેહને સમજાય
સમયના સંગે પ્રેમ લઈને ચાલતા,અદભુતકર્મ કુદરતની કૃપાએ થઈ જાય
સરળ જીવન સંગે પાવનકર્મનો સંગાથ રહે,જે પાવનકૃપાએ સ્પર્શી જાય
.....કુદરતની કૃપા મળી જાય દેહને,જે સમયના સંગે પાવનકર્મ કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.