October 29th 2019

માગણી લાગણી

.          .માગણી લાગણી       

તાઃ૨૯/૧૦/૨૦૧૯            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને અનેક સંબંધનો સ્પર્શ,જે જીવનમાં થઈ જાય
સમયની સાથે ચાલતા દેહને,અનુભવે માગણીલાગણી મળી જાય
......એ લીલા અવિનાશીની અવનીપર,જે અનેકદેહે દર્શન આપી જાય.
જીવને સ્પર્શ કરે જે મળેલદેહના,થયેલ કર્મથી આગમનદઈ જાય
સુખસાગરનો સંગાથ મળે જીવનમાં,જ્યાં માગણીલાગણી છોડાય
પવિત્રકર્મની કેડીમળે જીવનમાં,જે પરમાત્માની પરમકૃપા કહેવાય
માનવદેહની મહેંકપ્રસરે અવનીપર,જ્યાં પવિત્રભાવથી ભક્તિથાય
......એ લીલા અવિનાશીની અવનીપર,જે અનેકદેહે દર્શન આપી જાય.
સરળ જીવનનોસંગાથ મળે દેહને,જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય
માનવ જીવનમાં પાવનરાહ મળે,જ્યાં સંત જલાસાંઇની કૃપા થાય
મળેલદેહને પાવન કરીગયા જીવનમાં,એજ પાવનસંતથી ઓળખાય
ના કદી માગણી રાખી જીવનમાં,કે નાકોઇજ લાગણી સ્પર્શી જાય
......એ લીલા અવિનાશીની અવનીપર,જે અનેકદેહે દર્શન આપી જાય.
=========================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment