November 26th 2012

કોણ કેટલામાં

.                    કોણ કેટલામાં

તાઃ૨૬/૧૧/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સમયની દ્રષ્ટિ ન્યારી,જીવને શીતળતાએ સમજાય
ઉંમરની નાકોઇએડી મળતી,જ્યાંમળેલ સમયને સચવાય
.                     ………………….સમય સમયની દ્રષ્ટિ ન્યારી.
કુદરતની છે  આઅજબલીલા,જીવના જન્મને બાંધી જાય
આજ ના આવતી કાલ બને,એ તો ભુતકાળ જ બની જાય
પરખ મળે જીવને ગઇકાલની,તો આવતી કાલ સુધારાય
કોણ કેટલામાં આવી શકે,એતો સમયની સાંકળે સમજાય
.                  ……………………સમય સમયની દ્રષ્ટિ ન્યારી.
દેહને સંબંધ છે ઉંમરથી,ના જગતમાં કોઇનાથીય છટકાય
દુઃખ દરીદ્ર નાડીના ખેલ,એ આડુઅવળુ ખાવાથી મેળવાય
બુધ્ધીને નાકોઇ આંબીશકે,સીધી સમજણથીજ એ સમજાય
મહેનત મનથી કરતાં જ્ઞાનમાં,એ તો  લાયકાતે મળી જાય
.                     ………………….સમય સમયની દ્રષ્ટિ ન્યારી.
લાયકાત એની કેટલામાં છે,તે તેના અનુભવથી સમજાય
ઉજ્વળતાનો સાથ મળે જીવનમાં,જ્યાં સાચવીને બોલાય
કોણ કેટલામાં ફરી રહે છે,તે તેના વાણીવર્તનથીજ દેખાય
અભિમાનની અદાને છોડતાં,સૌ થતાંકામ સરળ થઈ જાય
.                   ……………………સમય સમયની દ્રષ્ટિ ન્યારી.

+++++++++++++++++++++++++++++++++

 

November 22nd 2012

બારણે ટકોર

.                       .બારણે ટકોર

તાઃ૨૨/૧૧/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઘરના બારણે ટકોરા પડતા,વ્યક્તિ બારણુ ખોલવા જાય
મળેલટકોર વડીલનીએક,સમજતાં જીવન ઉજ્વળ થાય
.                    ………………….ઘરના બારણે ટકોરા પડતા.
આવેલ આંગણે અતિથીને,મનથી આવકાર પણ અપાય
સ્નેહનીસાંકળ પકડીરાખતાં,પ્રેમથી બાથમાં લેવાઇ જાય
મળેલ આવકાર માણતાં,વ્યક્તિનીઆંખમાં આંસુ દેખાય
સ્નેહનીસાચી આજ ટકોરછે,જે પ્રેમના બારણાખોલી જાય
.                    ………………….ઘરના બારણે ટકોરા પડતા.
માનવજીવનમાં મહેંહ પ્રસરે,જ્યાં સ્નેહ ભાવને સમજાય
ટકોરમળે છે જ્યાં વડીલની,ત્યાં કદમને સમજીને ભરાય
આવતી વ્યાધી દુર રહે,જ્યાં જલાસાઇની કૃપા મેળવાય
ભક્તિ આવી બારણે ટકોર દે,ત્યાં આજન્મસફળ થઇજાય
.                    ………………….ઘરના બારણે ટકોરા પડતા.

===================================

November 20th 2012

પ્રેમી જ્યોત

.                        પ્રેમી જ્યોત

તાઃ૨૦/૧૧/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત જલીયાણની જીવને અડકે,ના અવનીએ એ જીવ ભટકે
જલાસાંઇની કેડી છે ન્યારી,સૌ જીવોને એલાગે છે અતિ પ્યારી
.                   ………………..જ્યોત જલીયાણની જીવને અડકે.
જન્મ જીવના બંધન તો કર્મથી,ના જીવ કોઇ છટકે અવનીથી
આવી લીધો જન્મ ધરતીએ,માનવીએ સંગ રાખવો ભક્તિથી
મળી જાય જો મોહનેમાયા,તો પ્રેમી જ્યોત લેજો જલાસાંઇથી
ઉજ્વળ જીવનની રાહ મળતાં,જીવને મળશે જયોત મુક્તિની
.                 ………………….જ્યોત જલીયાણની જીવને અડકે.
કળીયુગના અંધકારમાં આજે,માનવ મન દેખાવમાં ભટકાય
અંતરની ઉર્મીને રોકતા જીવે,પ્રભુકૃપાએ ઉજ્વળતા છલકાય
મળે પ્રેમ સગા સંબંધીઓનો,જીવનમાં સુખ શાંન્તિ મેળવાય
પ્રેમી જ્યોત મળતા જીવનમાં,અંધકારની વિદાય થઈ જાય
.                ………………….જ્યોત જલીયાણની જીવને અડકે.

========================================

November 17th 2012

આંખ મળી

.                       આંખ મળી

તાઃ૧૭/૧૧/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખ મળી ત્યાં અંધારુ ભાગ્યું,જીવને રાહ દેખાઇ ગઈ
ઉજ્વળતાની કેડી શોધવા,અંતે મને સાથ મળ્યો અહીં
.                   ……………………આંખ મળી ત્યાં અંધારુ ભાગ્યું.
નિર્મળતાનો સહવાસ શોધતાં,મળી મને તકલીફો ભઈ
શ્રધ્ધા રાખતા જલાસાંઇમાં,જીવનમાં શાંન્તિમળી ગઈ
કૃપાથઈ પરમાત્માની મને,જ્યાં સાચીરાહ જોવાઇગઈ
સાથ અને સહવાસ મળતાં,જીવનમાં રાહત આવી ગઈ
.                 ……………………આંખ મળી ત્યાં અંધારુ ભાગ્યું.
માયાના વાદળ તો છે ઘેલા,અવનીએ ભટકે અહીં તહીં
સમજીવિચારી ચાલતા એઅટકે,નાજીવનમાં આપે કંઇ
સંગમળ્યો મને તારો જ્યારથી,જીવને શાંન્તિમળી ગઈ
નાઆધી આવે કોઇ જીવનમાં,કે નાવ્યાધી મેં જોઇ ભઈ
.                 ………………….. આંખ મળી ત્યાં અંધારુ ભાગ્યું.

**********************************************

November 14th 2012

નિર્મળતા

.                           નિર્મળતા

તાઃ૧૪/૧૧/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાનો સંગ મળે જીવનમાં.જ્યાં શુભલાભને સચવાય
આવી રહેલઆફતને કળીયુગમાં,નિર્મળ સ્વભાવથીજીતાય
.                   …………………માનવતાનો સંગ મળે જીવનમાં.
મીઠી મહેંક મળે માનવતાએ,જ્યાં જીવે ભક્તિરાહ મેળવાય
ડગલુ માંડતા જીવનની રાહે,મનથી પ્રભુનું સ્મરણ થઈ જાય
નિર્મળતાનો સંગ મળતાં જીવનમાં,સૌ કામે સફળતા દેખાય
આંટીધુંટીની વળગણ છુટતાં,મળેલ આજન્મ સફળ થઇ જાય
.                  …………………..માનવતાનો સંગ મળે જીવનમાં.
સ્વાર્થ મોહને નેવે મુકતાં,કળીયુગની લીલા પણ ભાગીજાય
મહેંક પ્રેસરે જ્યાં માનવતાની, જીવને ચારોધામ મળી જાય
સુખસાગરની એકજ હેલીએ,જગે સૌનો સાથ પણ મળીજાય
નિર્મળતાની સાચી કેડીને મેળવતાં,જીવ મુક્તિ માર્ગે દોરાય
.                 …………………..માનવતાનો સંગ મળે જીવનમાં.

====================================

November 10th 2012

માનવીની તરસ

.                    માનવીની તરસ

તાઃ૧૦/૧૧/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

તરસ લાગે જ્યારે માનવીને,ત્યારે એ પાણી પીવા જાય
માયા લાગે જ્યારે કળીયુગની,ત્યારે બુધ્ધી બગડી જાય
.                      ………………….તરસ લાગે જ્યારે માનવીને.
કુદરતની આજ ન્યારી કેડી,સમયથી  એ સમજાઇ જાય
અપેક્ષાની ના સીમા જીવનમાં,ના માનવી એ તરી જાય
પળે પળે તરસ લાગે માનવીને,કઈ છે એ ના ઓળખાય
સમજી વિચારી પારખી લેતા,એ સમજદારને જ સમજાય
.                     ……………………તરસ લાગે જ્યારે માનવીને.
બાળપણમાં તરસ પ્રેમની,જે બાળકના વર્તનથી દેખાય
માતાની ગોદમાં પડખુ ફેરવતા,નિર્મળ પ્રેમ મળી જાય
કલમપકડતાં હાથમાં માનવીને,ભણતરનીતરસ દેખાય
શ્રધ્ધા રાખીને એ ચલાવતા,સિધ્ધીના સોપાન મળીજાય
.                     ……………………તરસ લાગે જ્યારે માનવીને.

……………………………………………………………………………….

November 9th 2012

માનવીની તાકાત

.                    માનવીની તાકાત

તાઃ૯/૧૧/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના માનવીની તાકાત જગતમાં,કે અવનીથી છટકી જાય
કર્મની કેડી પરમાત્માની દેન,ના કોઇ બંધનથી નીકળાય
.               ……………………ના માનવીની તાકાત જગતમાં.
શીતળ પવનની લહેર ના રોકે,કે ના પવનની ઝાપટ
ભાગે છટકવા અહીંતહીં અવનીએ,એજ પ્રભુની લાફટ
કર્મની સાચી કેડીનો સંગ લેતાં,પ્રભુ કૃપા થઈ જ જાય
ના સાધુ કે સંતની તાકાત,કે પરમાત્માને નિરખીજાય
.              ……………………ના માનવીની તાકાત જગતમાં.
વરસતો વરસાદ જગતમાં,ભુમિને ફળદ્રુપ કરી જાય
પડે ઝાપટ જ્યાંમેધરાજાની,ત્યાં ઘરબંગલાતુટી જાય
નાતાકાત માનવીની,કે જીવનેમળતો જન્મ રોકીજાય
દ્રષ્ટિ તેજ મળેલ છે દેહને,છતાંય ના પવનને જોવાય
.              …………………..ના માનવીની તાકાત જગતમાં.

++++++++++++++++++++++++++++++++++++++++

November 6th 2012

અંધકાર મળે

.                      અંધકાર મળે

તાઃ૬/૧૧/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

આડી અવળી વાંકી ચુકી કેડીઓમાં,જ્યાં મન ફસાઇ જાય
ઉજાસની ના કેડી મળે કોઇ,જીવનમાં અંધકાર મળી જાય
.                        …………………..આડી અવળી વાંકી ચુકી.
સરળતા રાખી જીવન જીવતાં,સૌનો સાથ પણ મળી જાય
આંગળીપકડી સાથઆપીને,જીવનમાંપ્રેમ પણ આપી જાય
વિટંમણા તો દુર રહે જીવનમાં,ના ભુલથી પણ આવી જાય
એજ જીવની લાયકાતબને,જે જીવનમાં શાંન્તિ આપી જાય
.                        ……………………આડી અવળી વાંકી ચુકી.
કળીયુગ કેરી રાહ મળતા,જીવનમાં અભિમાન ટપકી જાય
અહંકારનો સંગ રાખતાં સમયે, ના કોઇનો સાથ મળી જાય
હુ કરુ  હુ જ કરુ એ જ શબ્દ જીભને,જ્યાંને ત્યાં વળગી જાય
અંધકાર મળી જાય જીવનમાં,ત્યાં આ જીવન વેડફાઇ જાય
.                       …………………….આડી અવળી વાંકી ચુકી.

+++++++++++++++++++++++++++++++++++++++=

 

October 29th 2012

ઉતાવળની કેડી

.                    ઉતાવળની કેડી

તાઃ૨૯/૧૦/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉતાવળે ના આંબા પાકે,કે ના ભણતર પણ મેળવાય
સમયની સાંકળ સાથેરાખતાં,ધીમે ધીમે એ મળીજાય
.                      …………………ઉતાવળે ના આંબા પાકે.
નિર્મળતાનો સંગ રાખીને,સમયને સમજીને જ ચલાય
મળે જીવપર કૃપા પ્રભુની,જે ઉજ્વળ જીવન કરી જાય
આફતને ના આંબે કોઇ,કે ના જગતમાં કોઇની તાકાત
શક્તિ એજ ભક્તિમાં છે,જે સધળાકામ સફળ કરીજાય
.                    …………………..ઉતાવળે ના આંબા પાકે.
કર્મ લખેલને  કોઇના રોકે,કે નાજગે કોઇથીય છટકાય
જલાસાંઇની ભક્તિ કેડીએ,જીવને સરળતા મળતીજાય
સમયને પારખી સંગે રહેતા,જગે શાંન્તિને અનુભવાય
સમજી વિચારી પગલુ ભરતાં,સૌ કામ સરળ થઈ જાય
.                      …………………ઉતાવળે ના આંબા પાકે.

+++++++++++++++++++++++++++++++++++++

October 28th 2012

અનંતપ્રેમ

.                    અનંતપ્રેમ

તાઃ૨૮/૧૦/૨૦૧૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગમન જીવનું થાય અવનીએ,જે દેહ થકી દેખાય
પ્રાણી પશુ પક્ષી કે માનવ,એ કર્મબંધનથી મેળવાય
.              …………………આગમન જીવનું થાય અવનીએ.
આધારિતદેહ જગમાં છે,જેને પ્રાણીપશુ પક્ષી કહેવાય
મૃત્યુપામતા સુધી દેહને,જીવનમાં ના કોઇરાહ દેખાય
ભુખ લાગે ત્યારે ભટકી રહેવું,ને નાસંતોષથી મેળવાય
કુદરતની આ કામણ લીલા,જીવને દેહ  જતા સમજાય
.               ………………..આગમન જીવનું થાય અવનીએ.
મળતાં દેહ માનવનો,જગતે જીવને અનેક રાહ દેખાય
સમજી વિચારી રાહ પકડતાં,દેહે પાવનકર્મ થતા જાય
મળે જો કૃપા પ્રભુની,સધળી આધી વ્યાધીથી  છટકાય
દેહનેમળેજ્યાં સંગસંતોનો,પ્રભુનોઅનંતપ્રેમ મળીજાય
.                ……………….આગમન જીવનું થાય અવનીએ.

****************************************

« Previous PageNext Page »