બારણે ટકોર
. .બારણે ટકોર
તાઃ૨૨/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઘરના બારણે ટકોરા પડતા,વ્યક્તિ બારણુ ખોલવા જાય
મળેલટકોર વડીલનીએક,સમજતાં જીવન ઉજ્વળ થાય
. ………………….ઘરના બારણે ટકોરા પડતા.
આવેલ આંગણે અતિથીને,મનથી આવકાર પણ અપાય
સ્નેહનીસાંકળ પકડીરાખતાં,પ્રેમથી બાથમાં લેવાઇ જાય
મળેલ આવકાર માણતાં,વ્યક્તિનીઆંખમાં આંસુ દેખાય
સ્નેહનીસાચી આજ ટકોરછે,જે પ્રેમના બારણાખોલી જાય
. ………………….ઘરના બારણે ટકોરા પડતા.
માનવજીવનમાં મહેંહ પ્રસરે,જ્યાં સ્નેહ ભાવને સમજાય
ટકોરમળે છે જ્યાં વડીલની,ત્યાં કદમને સમજીને ભરાય
આવતી વ્યાધી દુર રહે,જ્યાં જલાસાઇની કૃપા મેળવાય
ભક્તિ આવી બારણે ટકોર દે,ત્યાં આજન્મસફળ થઇજાય
. ………………….ઘરના બારણે ટકોરા પડતા.
===================================