માનવીની તરસ
. માનવીની તરસ
તાઃ૧૦/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તરસ લાગે જ્યારે માનવીને,ત્યારે એ પાણી પીવા જાય
માયા લાગે જ્યારે કળીયુગની,ત્યારે બુધ્ધી બગડી જાય
. ………………….તરસ લાગે જ્યારે માનવીને.
કુદરતની આજ ન્યારી કેડી,સમયથી એ સમજાઇ જાય
અપેક્ષાની ના સીમા જીવનમાં,ના માનવી એ તરી જાય
પળે પળે તરસ લાગે માનવીને,કઈ છે એ ના ઓળખાય
સમજી વિચારી પારખી લેતા,એ સમજદારને જ સમજાય
. ……………………તરસ લાગે જ્યારે માનવીને.
બાળપણમાં તરસ પ્રેમની,જે બાળકના વર્તનથી દેખાય
માતાની ગોદમાં પડખુ ફેરવતા,નિર્મળ પ્રેમ મળી જાય
કલમપકડતાં હાથમાં માનવીને,ભણતરનીતરસ દેખાય
શ્રધ્ધા રાખીને એ ચલાવતા,સિધ્ધીના સોપાન મળીજાય
. ……………………તરસ લાગે જ્યારે માનવીને.
……………………………………………………………………………….