જીવનની પળ
. જીવનની પળ
તાઃ૨/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીંદગીને છે સંબંધ દેહથી,જન્મમળતા એ મળી જાય
કરેલ કર્મ સમજતા જીવનમાં,પળપળ સચવાઇ જાય
. …………………જીંદગીને છે સંબંધ દેહથી.
ક્યારે મળશે કયો દેહ અવનીએ,ના કોઇનેય સમજાય
કર્મબંધન એ સંબંધ જીવનો,દેહ મળતાજદેખાઇ જાય
સમય ના પકડાય કોઇ જીવથી,પળપળ ના સમજાય
ભક્તિને પકડીને ચાલતા જીવનમાં,કૃપા પ્રભુની થાય
. …………………..જીંદગીને છે સંબંધ દેહથી.
માનવજીવન મહેંકીઉઠે,જ્યાં પ્રભાતપહોરને ઓળખાય
નિર્મળભાવના મનમાંરાખતા,કુદરતનો પ્રેમ મળીજાય
બાળપણથી ઉજ્વળતા મેળવવા,મહેનત મનથી થાય
જુવાનીનાસોપાન પારખતાં,જીંદગીમાં પળને પરખાય
. ……………………જીંદગીને છે સંબંધ દેહથી.
*****************************************