November 2nd 2012

જીવનની પળ

.                     જીવનની પળ

તાઃ૨/૧૧/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગીને છે સંબંધ દેહથી,જન્મમળતા એ મળી જાય
કરેલ કર્મ સમજતા જીવનમાં,પળપળ સચવાઇ જાય
.                    …………………જીંદગીને છે સંબંધ દેહથી.
ક્યારે મળશે કયો દેહ અવનીએ,ના કોઇનેય સમજાય
કર્મબંધન એ સંબંધ જીવનો,દેહ મળતાજદેખાઇ જાય
સમય ના પકડાય કોઇ જીવથી,પળપળ ના  સમજાય
ભક્તિને પકડીને ચાલતા જીવનમાં,કૃપા પ્રભુની થાય
.                  …………………..જીંદગીને છે સંબંધ દેહથી.
માનવજીવન મહેંકીઉઠે,જ્યાં પ્રભાતપહોરને ઓળખાય
નિર્મળભાવના મનમાંરાખતા,કુદરતનો પ્રેમ મળીજાય
બાળપણથી ઉજ્વળતા મેળવવા,મહેનત મનથી થાય
જુવાનીનાસોપાન પારખતાં,જીંદગીમાં પળને પરખાય
.                 ……………………જીંદગીને છે સંબંધ દેહથી.

*****************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment