November 14th 2012

નિર્મળતા

.                           નિર્મળતા

તાઃ૧૪/૧૧/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાનો સંગ મળે જીવનમાં.જ્યાં શુભલાભને સચવાય
આવી રહેલઆફતને કળીયુગમાં,નિર્મળ સ્વભાવથીજીતાય
.                   …………………માનવતાનો સંગ મળે જીવનમાં.
મીઠી મહેંક મળે માનવતાએ,જ્યાં જીવે ભક્તિરાહ મેળવાય
ડગલુ માંડતા જીવનની રાહે,મનથી પ્રભુનું સ્મરણ થઈ જાય
નિર્મળતાનો સંગ મળતાં જીવનમાં,સૌ કામે સફળતા દેખાય
આંટીધુંટીની વળગણ છુટતાં,મળેલ આજન્મ સફળ થઇ જાય
.                  …………………..માનવતાનો સંગ મળે જીવનમાં.
સ્વાર્થ મોહને નેવે મુકતાં,કળીયુગની લીલા પણ ભાગીજાય
મહેંક પ્રેસરે જ્યાં માનવતાની, જીવને ચારોધામ મળી જાય
સુખસાગરની એકજ હેલીએ,જગે સૌનો સાથ પણ મળીજાય
નિર્મળતાની સાચી કેડીને મેળવતાં,જીવ મુક્તિ માર્ગે દોરાય
.                 …………………..માનવતાનો સંગ મળે જીવનમાં.

====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment