February 8th 2021

ભોલેનાથ ભંડારી

Image result for ભોલેનાથ ભંડારી

.          ભોલેનાથ ભંડારી  

તાઃ૮/૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપાળુ દેહ લીધો અવનીપર,જે ભારતમાં ભોલેનાથથી ઓળખાય
સોમવારની સવારે શ્રધ્ધાથી વંદનકરી,ભોલેનાથ મહાદેવનુ પુંજન કરાય
....મળે કૃપા શ્રીભોલેનાથ ભંડારીની,જે પવિત્રદેવ શંકર ભગવાન પણ કહેવાય.
માયા મોહનો સંબંધ મળેલ દેહને,જે જીવને આવનજાવન આપી જાય
અવનીપર જીવને દેહ મળે,એ ગતજન્મના થયેલ કર્મથીજ મળતો થાય
પવિત્રદેહ પરમાત્માનો ભારતમાં,જે સમય સંગે માનવદેહથી આવી જાય
ધર્મની પવિત્રરાહને પારખી જીવતા,પવિત્રકૃપાએ અનંતશાંંતિ મળી જાય 
....મળે કૃપા શ્રીભોલેનાથ ભંડારીની,જે પવિત્રદેવ શંકર ભગવાન પણ કહેવાય.
અનેકદેવના નામથી પુંજન થાય,એ શંકર,મહાદેવ,ભોલેનાથથી ઓળખાય
પત્નિ પાર્વતી સંતાન શ્રી ગણેશ,કાર્તિક અને દીકરી અશોકસુંદરી કહેવાય
અનંત કૃપાળુ પરમાત્મા છે,જે શ્રધ્ધા રાખીને ભક્તિકરતાં દેહને મળી જાય
પવિત્ર દીવસની જ્યોત મળે દેહને,જ્યાં શીવલીંગ પર દુધની અર્ચના કરાય
....મળે કૃપા શ્રીભોલેનાથ ભંડારીની,જે પવિત્રદેવ શંકર ભગવાન પણ કહેવાય.
##############################################################



   
February 6th 2021

અંજનીપુત્ર

Image result for અંજનીપુત્ર

..          .અંજનીપુત્ર 

તાઃ૬/૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

બજરંગબલી હનુમાન જગતમાં,પવિત્ર શ્રીરામ ભકતથી ઓળખાય
પરમાત્મા એદેહ લીધો શ્રીરામનો ,જે સીતા માતાના પતિ કહેવાય
....પરમભક્ત સીતારામના,જે માતાઅંજની અને પવનદેવના પુત્ર કહેવાય.
અનેકનામથી ઓળખાય હિંદુ ધર્મમાં,જે હનુમાન બજરંગબલી થાય
મહાવીર સંગે બાહુબલી કહેવાય,જે સુર્વચલાના પતિથી ઓળખાય
એવાજ વ્હાલા પવનદેવના પુત્ર,જગતમા પિતાની શાન વધારી જાય 
શ્રીરામના પરમ ભક્ત હતા,જે સીતાજીને શોધીને કૃપા મેળવી જાય
....પરમભક્ત સીતારામના,જે માતાઅંજની અને પવનદેવના પુત્ર કહેવાય.
સંજીવની માટે પર્વતને લઈ આવ્યા,જે રામના ભાઈને બચાવી જાય
પવિત્ર શક્તિશાળી એભક્ત થયા,જે પરમાત્માની ભક્તિ કરતા જાય
પાવનરાહે જીવન જીવતા બજરંગબલી થયા,જે ઉડીને લંકામાં જાય
સીતામાતાને બચાવવા માટે,લંકાના રાજા રાવણનુ દહનએ કરી જાય
....પરમભક્ત સીતારામના,જે માતાઅંજની અને પવનદેવના પુત્ર કહેવાય.
############################################################
February 3rd 2021

ભક્તિ રાહ

*why are there radha krishna worshipped in temple everywhere in india આ સંતના કારણે ગીતા ગોવિંદમાં રાધા અને કૃષ્ણના પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું છે.– News18 Gujarati*
.            ભક્તિ રાહ     

તાઃ૩/૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

તાલી પાડીને ભજન કરતાજ,શ્રીરામ સંગે શ્રીક્ર્ષ્ણની કૄપા થાય
મળેલદેહના જીવને પવિત્રરાહ મળે,જે નિર્મળભક્તિ કરાવી જાય
.....એજ આશિર્વાદ શ્રી પરીમલભાઈના,સંગે મધુબેનનો પ્રેમ મળી જાય.
પાવનરાહની આંગળી ચીંધી હ્યુસ્ટનમાં,ભક્તોના નશીબ કહેવાય
ભક્તિ એ કૃપા પરમાત્માની,જે શ્રીરામ સંગે શ્રીકૃષ્ણથી મેળવાય
જગતમાં પવિત્ર શક્તિશાળી ભગવાન,જે ભારતમાં દેહ લઈ જાય 
નિર્મળભાવથી ભક્તિકરતા,જીવપર અનંતશાંંતિની વર્ષા થઈ જાય
.....એજ આશિર્વાદ શ્રી પરીમલભાઈના,સંગે મધુબેનનો પ્રેમ મળી જાય.
ભક્તિની પાવનરાહ મળી,જે તાલીઓ સંગે ભજન ગાતા સંભળાય
મળી કૃપા સીતારામની ભજનથી,સંગે રાધાકૃષ્ણનો પ્રેમ મળી જાય
જીવને મળેલ દેહનો સંબંધ કર્મનો,જે ભક્તિથી મુક્તિ આપી જાય
અવનીપર આગમન વિદાયને છોડાય,જે પવિત્રભક્તિથી મળી જાય
.....એજ આશિર્વાદ શ્રી પરીમલભાઈના,સંગે મધુબેનનો પ્રેમ મળી જાય.
========================================================
January 31st 2021

જય દુર્ગા માતા

***માં દુર્ગા માતાનાં ૧૦૮ નામ ….. | જય મહાકાળી માં !***

.          જય દુર્ગા માતા

તાઃ૩૧/૧/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

ભારતની ભુમીને પવિત્ર કરવા,માતા દુર્ગામાતાથી આવી જાય
પવિત્ર શક્તિશાળી એ માતા થયા,શ્રધ્ધાભાવથી ભક્તિ કરાય
....પરમકૃપાળુ એ માતા હતા,જે નિર્મળભાવનાથી પુંજન કરાવી જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે અનુભવથી દેખાય
પાવનકર્મ કરવા માતાને વંદન કરતા,મળેલ દેહને પ્રેરણા થાય 
અજબ શક્તિશાળી માતા,જે દુશ્કર્મી મહીશાસુરને મારી જાય
એજ કૃપા થઈ અવનીપર માતાની,જે સમાજને સુખ દઈ જાય
....પરમકૃપાળુ એ માતા હતા,જે નિર્મળભાવનાથી પુંજન કરાવી જાય.
પરમાત્માએ અનેક પવિત્રદેહ લીધા,જે માનવદેહપર કૃપા કરાય
અનેકદેહથી આગમન થયુ,જે હિંદુધર્મને દુનીયામાં પ્રસરાવીજાય
માનવદેહના જીવને પાવનરાહે,જન્મમરણથી મુક્તિજ મળી જાય
પાવનકૃપાથી માતાજી પધાર્યા,જેમને જય દુર્ગેમાતાથી વંદનકરાય
....પરમકૃપાળુ એ માતા હતા,જે નિર્મળભાવનાથી પુંજન કરાવી જાય.
#########################################################

 

January 30th 2021

વ્હાલા પવનપુત્ર

+++તુલસીદાસ | મન નો વિશ્વાસ.+++

.           .વ્હાલા પવનપુત્ર          

તાઃ૩૦/૧/૨૦૨૧.               પ્રદીપ બ્રહ્મભટ્ટ     

શ્રી રામ ભક્ત હનુમાન,જગતમાં વ્હાલા પવનપુત્રથીય ઓળખાય
અજબ શક્તિશાળી લાડલા દીકરા,માતા અંજનીના પણ કહેવાય
.....પવિત્ર ભક્તિરાહ શ્રીરામકૃપાએ મળી,જે રાજા રાવણના દહનથી દેખાય.
પરમાત્માનુ આગમન ભારતમાં,જે ભુમી પવિત્ર કરવા જન્મી જાય
પવિત્રકૃપા મળી હતી શ્રીરામની,જ્યાં હનુમાનજી ઉડીને લંકા જાય
સીતામાતાને એ શોધી લાવ્યા,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
પિતા પવનદેવની કૃપાથઈ,જે રામના ભાઈ લક્ષ્મણને બચાવી જાય
.....પવિત્ર ભક્તિરાહ શ્રીરામકૃપાએ મળી,જે રાજા રાવણના દહનથી દેખાય.
શ્રી હનુમાનજી એસુર્યદેવની દીકરી,સુવર્ચલાના પતિદેવ પણ કહેવાય
મળેલદેહને પાવનરાહ મળી,જે માતાપિતાના આશિર્વાદથી મેળવાય
પ્રભુ શ્રી રામના જીવનમાં,આવેલ તકલીફને દુર કરવા એદોડી જાય
જગતમાં ઓળખાણ પવિત્ર ભક્ત તરીકે,જે તેમના કર્મથીજ દેખાય
.....પવિત્ર ભક્તિરાહ શ્રીરામકૃપાએ મળી,જે રાજા રાવણના દહનથી દેખાય.
############################################################

	
January 28th 2021

અપેક્ષાનો આશા

.           .અપેક્ષાની આશા       

તાઃ ૨૮/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલદેહના મનમાં સમયની સાંકળ ચાલે,જે તેના વર્તનથી દેખાય
કળીયુગ સતયુગની સમજણથી જીવતા,નાઅપેક્ષાની આશા રખાય
....એજ વર્તન માનવદેહનુ,જે મળેલ માનવદેહના જન્મને સાર્થક કરી જાય.
આગમનનો સંબંધ એથયેલકર્મનો,જે ગતજન્મના વર્તનથી મેળવાય
કુદરતની આજ લીલા જગતમાં,ના કોઇજ જીવથી કદીય છટકાય 
પવિત્ર જીવનની રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
ભારતની ભુમીને પાવન કરી પરમાત્માએ,જે પવિત્ર દેહથી દેખાય
....એજ વર્તન માનવદેહનુ,જે મળેલ માનવદેહના જન્મને સાર્થક કરી જાય.
મળે પરમાત્માના આશિર્વાદ દેહને,જ્યાં પરમાત્માની ભક્તિપુંજાથાય
માનવદેહના જીવને શાંંતિ મળે,જે જીવને અપેક્ષાથીજ દુર લઈ જાય
પવિત્રજીવનની રાહ મળે,એ પવિત્રદેહના આશિર્વાદે સત્કર્મ થઈજાય
સમયનીસાથે ચાલતા જીવનમાં,પરમાત્માની પાવનકૃપાએ આનંદથાય
....એજ વર્તન માનવદેહનુ,જે મળેલ માનવદેહના જન્મને સાર્થક કરી જાય.
*************************************************************
January 28th 2021

मेरे सांईबाबा

Video : દર્શન કરો અમદાવાદના રામદેવનગરમાં આવેલા સાંઇ મંદિરના - Sandesh

.           .मेरे सांईबाबा            

ताः२८/१/२०२१              प्रदीप ब्रह्मभट्ट    

शेरडीवाले मेरे सांईबाबा,जगतमें भक्तोके दुःख प्रेमसे हरते है
पावनराहकी केडीमीली भक्तीसे,जीवनमें शांंतिभी मीलजाती है 
....पवित्रप्रेमका सागर मीला भक्तिसे,जो बाबाके आशिर्वादसे मील गया.
समयके साथ हम जहां चलतॅ है,वहां जीवनमे क्रुपा मीलती हे
अनंतप्रेमकी क्रुपा मीली श्रध्धासे,जो आशिर्वादसे मील जाती है
भोलेनाथकी पावनक्रुपा हुइ,जो शेरडीमे संत सांइबाबासे आगये
द्वारकामाईका साथ मीला बाबाको,जो पवित्र धरतीभी कर गये 
....पवित्रप्रेमका सागर मीला भक्तिसे,जो बाबाके आशिर्वादसे मील गया.
ॐ श्री सांइनाथाय नमः के स्मरणसे,शेरडीसेक्रुपा मील जातीहै
जन्ममरणका संबंध रहेता है जीवको,जो मानव देहका कर्म है
मळेल मानवदेहको ना नातजात अडे,जो मानवता महेंकाती है
श्रध्धा और सबुरीका संबंध देहको,जो बाबाने पावन कर दीया
....पवित्रप्रेमका सागर मीला भक्तिसे,जो बाबाके आशिर्वादसे मील गया.
********************************************************

  
January 24th 2021

શ્રધ્ધાથી ભક્તિ

++ હનુમાન જયંતિ: પ્રોફેશન લાઈફમાં લાવવા ઈચ્છો છો બદલાવ તો હનુમાનજીને અર્પિત કરો આ ૫ ચીજો – Fitness Tips++

.           શ્રધ્ધાથી ભક્તિ

તાઃ૨૪/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપાળુ પરમાત્માની પ્રેમથીકૃપા મળે,જે પવિત્રજીવન કરી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા જીવનમાં,માનવદેહને પાવન કૃપા મળી જાય
....એજ સાચી ભક્તિ મળેલદેહની,જે ગતજન્મના થયેલકર્મને દુર કરી જાય.
પાવનકર્મનો સંગાથ મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભાવથી પુંજન થાય
ભજનભક્તિની પાવન કૃપા દેહને,જે અપેક્ષા આફતથી દુર કરી જાય
મળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,એ પવિત્રરાહે કર્મ કરાવી જાય
જગતમાં શ્રધ્ધાભાવથી પ્રાર્થનાકરતા,પવિત્ર હિંદુધર્મની ઓળખાણ થાય
....એજ સાચી ભક્તિ મળેલદેહની,જે ગતજન્મના થયેલકર્મને દુર કરી જાય.
મોહ માયા એ સ્પર્શે દેહને જીવનમાં,એ કળીયુગની અસરથીજ મેળવાય
પાવનરાહનો સંગાથ મળે દેહને,જે મળેલ માનવદેહને ભક્તિ કરાવી જાય
ઉજવળ જીવનની પવિત્રરાહની કેડી,એ શ્રધ્ધાથી ધુપ દીપ પ્રગટાવી જાય
એદેહના પવિત્રકર્મ અવનીપર,જે જીવને આવનજાવનથી મુક્તિ આપીજાય
....એજ સાચી ભક્તિ મળેલદેહની,જે ગતજન્મના થયેલકર્મને દુર કરી જાય.
#############################################################

 

January 23rd 2021

નિખાલસ રાહ

###144.pdf  ###

.           નિખાલસ રાહ            

તાઃ૨૩/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રરાહની આંગળી ચીંધી,જે મને પવિત્રસંત શ્રી મોટાથી દેવાય
જીવનમાં કલમની કેડી પકડી ચાલવા,મને આશીર્વાદ પણ આપ્યા
.....ત્યાંજ મને માતા સરસ્વતીની કૃપા મળી,જગતમાં કલમપ્રેમી કરી જાય.
મળેલદેહને સંબંધ કર્મનો અવનીપર,જે દેહ મળતાજ અનુભવ થાય
પાવનરાહ એજ પરમાત્માની કૃપા,દેહને નિખાલસ રાહ આપી જાય
પવિત્રકલમની રાહમળી દેહને,જે અનેક પ્રેમીઓના પ્રેમથી મળીજાય
જીવનમાં નાકોઇ અપેક્ષારહે,કે ના કદી કળીયુગની માયા અડી જાય
.....ત્યાંજ મને માતા સરસ્વતીની કૃપા મળી,જગતમાં કલમપ્રેમી કરી જાય.
પરમાત્માની કૃપા થઈ દેહપર,જે હરિ ૐ આશ્રમના મોટાથી મેળવાય
મળેલ માનવદેહને નિખાલસ રાહ મળી,જે સમયસંગે ચાલતા સમજાય
પવિત્રકૃપા પુંં.મોટાની આશ્રમથી મળી,એ મળેલદેહની કલમથી દેખાય
કર્મનોસંબંધ એ મળેલદેહને,જે જન્મ મળતાદેહને સંબંધીઓ આપીજાય
.....ત્યાંજ મને માતા સરસ્વતીની કૃપા મળી,જગતમાં કલમપ્રેમી કરી જાય.
#############################################################
January 19th 2021

ગૌરીનંદન ગણેશ

***વંદના, વંદના... - Gratitude for Grace***

.          .ગૌરીનંદન ગણેશ                  

તાઃ૧૯/૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગૌરીનંદન શ્રીગણેશ પવિત્રદેહ ભારતમાં,જે ભાગ્યવિધાતાય કહેવાય
માતા પાર્વતીના એ વ્હાલા સંતાન,જેમના પિતા છે શંકર ભગવાન
....પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જે ભાગ્યવિધાતા શ્રીગણેશથી ઓળખાય
પરમપ્રેમ મળ્યો છે માબાપનો,જે જગતમાં ભાગ્ય વિધાતા થઈ જાય
વિઘ્નવિનાયક ગજાનંદ ગણપતિ,રિધ્ધી સિધ્ધીના એ પતિ પણ થાય
અવનીપર જીવને મળેલદેહના,એ ભાગ્યની પાવનરાહ પણ આપીજાય
ભારતની ધરતીપર પરમાત્માએ દેહ લીધો,જેને શંકર ભગવાન કહેવાય 
....પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જે ભાગ્યવિધાતા શ્રીગણેશથી ઓળખાય
આશિર્વાદ મળ્યા માબાપના,સંતાન શ્રી ગણેશને પવિત્રરાહ દઈ જાય
પવિત્રકૃપાળુ પરમાત્માનો દેહછે,જેહિંદુધર્મમાં શ્રીગણેશનુ પુંજન કરાય
શંકરભગવાનને પાર્વતીપતિ મહાદેવકહેવાય,જે ભોલેનાથ પણ કહેવાય
અજબકૃપાળુ ને શક્તિ શાળીદેવ છે,જેમની કૃપાએ પવિત્રજીવન થાય
....પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જે ભાગ્યવિધાતા શ્રીગણેશથી ઓળખાય
############################################################
« Previous PageNext Page »