January 19th 2021

ગૌરીનંદન ગણેશ

***વંદના, વંદના... - Gratitude for Grace***

.          .ગૌરીનંદન ગણેશ                  

તાઃ૧૯/૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગૌરીનંદન શ્રીગણેશ પવિત્રદેહ ભારતમાં,જે ભાગ્યવિધાતાય કહેવાય
માતા પાર્વતીના એ વ્હાલા સંતાન,જેમના પિતા છે શંકર ભગવાન
....પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જે ભાગ્યવિધાતા શ્રીગણેશથી ઓળખાય
પરમપ્રેમ મળ્યો છે માબાપનો,જે જગતમાં ભાગ્ય વિધાતા થઈ જાય
વિઘ્નવિનાયક ગજાનંદ ગણપતિ,રિધ્ધી સિધ્ધીના એ પતિ પણ થાય
અવનીપર જીવને મળેલદેહના,એ ભાગ્યની પાવનરાહ પણ આપીજાય
ભારતની ધરતીપર પરમાત્માએ દેહ લીધો,જેને શંકર ભગવાન કહેવાય 
....પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જે ભાગ્યવિધાતા શ્રીગણેશથી ઓળખાય
આશિર્વાદ મળ્યા માબાપના,સંતાન શ્રી ગણેશને પવિત્રરાહ દઈ જાય
પવિત્રકૃપાળુ પરમાત્માનો દેહછે,જેહિંદુધર્મમાં શ્રીગણેશનુ પુંજન કરાય
શંકરભગવાનને પાર્વતીપતિ મહાદેવકહેવાય,જે ભોલેનાથ પણ કહેવાય
અજબકૃપાળુ ને શક્તિ શાળીદેવ છે,જેમની કૃપાએ પવિત્રજીવન થાય
....પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જે ભાગ્યવિધાતા શ્રીગણેશથી ઓળખાય
############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment