જય દુર્ગા માતા
******
. જય દુર્ગા માતા તાઃ૩૧/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભારતની ભુમીને પવિત્ર કરવા,માતા દુર્ગામાતાથી આવી જાય પવિત્ર શક્તિશાળી એ માતા થયા,શ્રધ્ધાભાવથી ભક્તિ કરાય ....પરમકૃપાળુ એ માતા હતા,જે નિર્મળભાવનાથી પુંજન કરાવી જાય. મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે અનુભવથી દેખાય પાવનકર્મ કરવા માતાને વંદન કરતા,મળેલ દેહને પ્રેરણા થાય અજબ શક્તિશાળી માતા,જે દુશ્કર્મી મહીશાસુરને મારી જાય એજ કૃપા થઈ અવનીપર માતાની,જે સમાજને સુખ દઈ જાય ....પરમકૃપાળુ એ માતા હતા,જે નિર્મળભાવનાથી પુંજન કરાવી જાય. પરમાત્માએ અનેક પવિત્રદેહ લીધા,જે માનવદેહપર કૃપા કરાય અનેકદેહથી આગમન થયુ,જે હિંદુધર્મને દુનીયામાં પ્રસરાવીજાય માનવદેહના જીવને પાવનરાહે,જન્મમરણથી મુક્તિજ મળી જાય પાવનકૃપાથી માતાજી પધાર્યા,જેમને જય દુર્ગેમાતાથી વંદનકરાય ....પરમકૃપાળુ એ માતા હતા,જે નિર્મળભાવનાથી પુંજન કરાવી જાય. #########################################################