January 30th 2021

વ્હાલા પવનપુત્ર

+++તુલસીદાસ | મન નો વિશ્વાસ.+++

.           .વ્હાલા પવનપુત્ર          

તાઃ૩૦/૧/૨૦૨૧.               પ્રદીપ બ્રહ્મભટ્ટ     

શ્રી રામ ભક્ત હનુમાન,જગતમાં વ્હાલા પવનપુત્રથીય ઓળખાય
અજબ શક્તિશાળી લાડલા દીકરા,માતા અંજનીના પણ કહેવાય
.....પવિત્ર ભક્તિરાહ શ્રીરામકૃપાએ મળી,જે રાજા રાવણના દહનથી દેખાય.
પરમાત્માનુ આગમન ભારતમાં,જે ભુમી પવિત્ર કરવા જન્મી જાય
પવિત્રકૃપા મળી હતી શ્રીરામની,જ્યાં હનુમાનજી ઉડીને લંકા જાય
સીતામાતાને એ શોધી લાવ્યા,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
પિતા પવનદેવની કૃપાથઈ,જે રામના ભાઈ લક્ષ્મણને બચાવી જાય
.....પવિત્ર ભક્તિરાહ શ્રીરામકૃપાએ મળી,જે રાજા રાવણના દહનથી દેખાય.
શ્રી હનુમાનજી એસુર્યદેવની દીકરી,સુવર્ચલાના પતિદેવ પણ કહેવાય
મળેલદેહને પાવનરાહ મળી,જે માતાપિતાના આશિર્વાદથી મેળવાય
પ્રભુ શ્રી રામના જીવનમાં,આવેલ તકલીફને દુર કરવા એદોડી જાય
જગતમાં ઓળખાણ પવિત્ર ભક્ત તરીકે,જે તેમના કર્મથીજ દેખાય
.....પવિત્ર ભક્તિરાહ શ્રીરામકૃપાએ મળી,જે રાજા રાવણના દહનથી દેખાય.
############################################################

	
January 30th 2021

મળી માયા

###Std-12-Final 22-12-2017.p65###

.           .મળી માયા 

તાઃ૩૦/૧/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળી માયા દેહને અવનીપર,જે જીવને મળેલદેહને સ્પર્શી જાય
કુદરતની આ લીલા જગતમાં,જે કર્મધર્મનો સંગાથ આપી જાય
....મળે પરમાત્માની પાવનકૃપા દેહને,એ જીવને જન્મમરણથી દેખાય.
અવનીપર મળેલદેહને સંગાથ મળે,જે સમયસંગે જીવને સમજાય
મળેલ માનવદેહના જીવને પાવનરાહમળે,એ ધર્મકર્મથી મેળવાય
મળી માયા જો દેહને જીવનમાં,જે કાયાને અનેકરાહે લઈ જાય
એ જીવને જન્મમરણના બંધનથી,અનેક કર્મનીકેડી આપી જાય
....મળે પરમાત્માની પાવનકૃપા દેહને,એ જીવને જન્મમરણથી દેખાય.
નિખાલસપ્રેમ જગતમાં પરમાત્માનો,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
કૃપામળે દેહને જે જીવનેસંબંધ આપીજાય,એ પાવનરાહે દેખાય
ના અડે મોહમાયા જીવનમાં,જ્યાં પાવનકૃપા પ્રભુની મળી જાય
જીવને આવનજાવનથી છોડાય,જ્યાં જીવથી મુક્તિમાર્ગ મેળવાય
....મળે પરમાત્માની પાવનકૃપા દેહને,એ જીવને જન્મમરણથી દેખાય.
*******************************************************