રાહ જીવનની
####
. .રાહ જીવનની તાઃ૩/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવને મળેલ દેહ અવનીપર,અનેકરાહનો સંગાથ દેહને આપી જાય એ લીલા કુદરતની કહેવાય,જે પરમાત્માની અજબકૃપાથીજ સમજાય ...જન્મમરણનો સંબંધ દેહને,જે અવનીપરના આગમને થયેલ કર્મથી મેળવાય. થયેલ કર્મનો સંબંધ છે જીવને,જગત પર જીવને દેહજ મળતા જાય મળેલદેહને પાવનકર્મની રાહ મળે,જયાં જીવનમાં પ્રભુની પુંજા થાય અદભુતલીલા છે અવનીપર,એ આગમન વિદાયથીજ દેહને સમજાય શ્રધ્ધાભાવથી પાવનરાહ પકડવા,પરમાત્માના દેહને પુંજનવંદન થાય ...જન્મમરણનો સંબંધ દેહને,જે અવનીપરના આગમને થયેલ કર્મથી મેળવાય. નિર્મળભાવનાથી પ્રેમ થાય જીવનમાં,જે જીવનમાં સંતાન આપી જાય કર્મની પવિત્રરાહ પકડવા મળેલ દેહના,સગા સંબંધીઓને પ્રેમ કરાય અવનીપરના દેહને અનેક સ્પર્શઅડે,જે જીવનાદેહને કર્મ કરાવી જાય સુખશાંંતિનો સહવાસ મળેદેહને,એ મળેલદેહને પાવનકર્મ કરાવી જાય ...જન્મમરણનો સંબંધ દેહને,જે અવનીપરના આગમને થયેલ કર્મથી મેળવાય. ===========================================================