January 3rd 2021

રાહ જીવનની

##ભગવાન બુદ્ધ દ્વારા જાણો જીવનમાં સુખ શાંતિ કેવી રીતે મળે છે? સાથે જાણો  જીવનમાં આવતી દરેક સમસ્યાઓનું નિરાકરણ |##

.           .રાહ જીવનની     

તાઃ૩/૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલ દેહ અવનીપર,અનેકરાહનો સંગાથ દેહને આપી જાય
એ લીલા કુદરતની કહેવાય,જે પરમાત્માની અજબકૃપાથીજ સમજાય
...જન્મમરણનો સંબંધ દેહને,જે અવનીપરના આગમને થયેલ કર્મથી મેળવાય.
થયેલ કર્મનો સંબંધ છે જીવને,જગત પર જીવને દેહજ મળતા જાય
મળેલદેહને પાવનકર્મની રાહ મળે,જયાં જીવનમાં પ્રભુની પુંજા થાય
અદભુતલીલા છે અવનીપર,એ આગમન વિદાયથીજ દેહને સમજાય 
શ્રધ્ધાભાવથી પાવનરાહ પકડવા,પરમાત્માના દેહને પુંજનવંદન થાય
...જન્મમરણનો સંબંધ દેહને,જે અવનીપરના આગમને થયેલ કર્મથી મેળવાય.
નિર્મળભાવનાથી પ્રેમ થાય જીવનમાં,જે જીવનમાં સંતાન આપી જાય
કર્મની પવિત્રરાહ પકડવા મળેલ દેહના,સગા સંબંધીઓને પ્રેમ કરાય 
અવનીપરના દેહને અનેક સ્પર્શઅડે,જે જીવનાદેહને કર્મ કરાવી જાય
સુખશાંંતિનો સહવાસ મળેદેહને,એ મળેલદેહને પાવનકર્મ કરાવી જાય
...જન્મમરણનો સંબંધ દેહને,જે અવનીપરના આગમને થયેલ કર્મથી મેળવાય.
===========================================================
 

January 3rd 2021

દોડતા આવજો

વિશ્વાસ કોના ઉપર કરવો? અને કોના ઉપર ના કરવો? આજના સમયનો બહુ જટિલ પ્રશ્ન – Nirav Patel

.           .દોડતા આવજો
તાઃ૩/૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમનો પવિત્રપ્રેમ પકડવા,સમય પકડીને દોડતા આવજો અહીં
ના કોઇનીય તાકાત જગતમાં,મળેલદેહથી સમયથી કદી છટકાય
....એ પાવનકૃપા પરમાત્માની કલમપ્રેમીઓ પર,જે સમયે સંગાથ આપી જાય.
પવિત્રકેડી કલમની જગતમાં,જે અનેક દેહોને વાંચનથી મળી જાય
નિર્મળરાહને પકડી મગજને પ્રેરતા,માતા સરસ્વતીનીજ કૃપા થાય
પ્રેમથી પ્રેમનો હાથ પકડતાજ,કલમપ્રેમીઓથી સમય પકડાઈ જાય
એજ કૃપા કલમની હ્યુસ્ટનમાં કહેવાય,જેનું સન્માન જગતમાં થાય
....એ પાવનકૃપા પરમાત્માની કલમપ્રેમીઓ પર,જે સમયે સંગાથ આપી જાય.
આજકાલ સમજીને ચાલતા પ્રેમીઓ,જગતમાં કલમની જ ઓળખાય
માનવતાની મહેંકપ્રસરે મળેલદેહની,જે જીવને મોહમાયાથી છોડીજાય
દોડીઆવે માતા સરસ્વતીનો પ્રેમ,જે નિખાલસતાથી કલમને પ્રેરીજાય
એ મળેલ માનવદેહ પર કૃપાજ કહેવાય,જે અવનીપર યાદ મુકી જાય
....એ પાવનકૃપા પરમાત્માની કલમપ્રેમીઓ પર,જે સમયે સંગાથ આપી જાય.
##############################################################