January 11th 2021

પ્રેમ સાગર

   રામાયણ : લવકુશ કાંડ બનાવવાના મૂડમાં ના હતા રામાનંદ સાગર, પછી ગયો હતો PMO થી ફોન |
.             .પ્રેમ સાગર                    

તાઃ૧૧/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
અનંતપ્રેમની કૃપા થઈ માબાપની,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,એજ પરમાત્માનીજ કૃપા કહેવાય
....અદભુતલીલા સંત જલાસાંઈની કહેવાય,જે જીવનમાં પ્રેમસાગર વહાવી જાય.
પવિત્ર નિખાલસ પ્રેમ મળ્યો જીવનમાં,એ મળેલદેહને શાંંતિ આપી જાય
પ્રેમ સાગરમાં રહેતા દેહને આનંદ મળે,જે નાકદીય અપેક્ષા રાખી જાય
મળ્યો પ્રેમ અવનીપર પવિત્રરાહે જીવતા દેહને,એજ જીવની છે લાયકાત
કર્મનો સંબંધ દેહને જીવનમાં મળે,જ્યાં શ્રધ્ધા ભાવથી જીવન જીવી જાય
....અદભુતલીલા સંત જલાસાંઈની કહેવાય,જે જીવનમાં પ્રેમસાગર વહાવી જાય.
નિખાલસ ભાવનાથી મળેલદેહને રાહમળે,એ જીવનમાં સરળતા આપીજાય
જીવને સંબંધ અનેક દેહથી અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
ના કોઈજ જીવથી છટકાય દેહથી,જે માનવી,પશુ,પક્ષીથી મળતો દેખાય
મળી ગયો જીવનમાં જ્યાં પ્રેમ નિખાલસ,એજ પ્રેમ સાગરમાં વહાવી જાય
....અદભુતલીલા સંત જલાસાંઈની કહેવાય,જે જીવનમાં પ્રેમસાગર વહાવી જાય.
**************************************************************