January 21st 2021

શેરડી સાંઈબાબા

##શિરડીવાળાં શ્રી સાંઈબાબા##

.          શેરડી સાંઇબાબા

તાઃ૨૧/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભારતની ભુમીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી આવી જાય
પવિત્રદેહ લઈ પાથરીમાં જન્મ્યા,જે શેરડીમાં સાંઈબાબા કહેવાય
....મળેલદેહને પ્રેરણા કરવા શેરડીમાં આવ્યા, જે સત્કર્મની રાહ આપી જાય.
જન્મમરણ એ સંબંધ જીવનો,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
મળેલદેહને સમજણનો સંગાથ મળે,જે અવનીપરના યુગથી સમજાય
દેહ મળતા જીવને પ્રેરણા થાય,જે નાતજાતની સમજણ આપી જાય
દેહને ધર્મનો સંબંધ જે હિંદુ,મુસ્લીમ,ખ્રીસ્તીથી જગતમાં ઓળખાય
...મળેલદેહને પ્રેરણા કરવા શેરડીમાં આવ્યા, જે સત્કર્મની રાહ આપી જાય.
દેહ મળ્યા બાદ એ નિરાધાર થયા,જે શેરડીમા પાવનરાહ આપી જાય
દ્વારકામાઈની સેવામળી સાંઇબાબાને,જે જગતમાં એપવિત્રરાહ કહેવાય
જગતમાં આંગળી ચીંધી માનવ દેહને,હિંદુમુસ્લીમદેહને પ્રેરણા કરી જાય
શ્રધ્ધાસબુરીની સમજણ આપી દેહને,જે પરમાત્માની પુંજા કરાવી જાય
...મળેલદેહને પ્રેરણા કરવા શેરડીમાં આવ્યા, જે સત્કર્મની રાહ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

      

January 21st 2021

જયજય જલારામ

રામજલારામ બાપા વિશે | IsoWebTech.comરામ

.           .જયજય જલારામ                    

તાઃ૨૧/૧/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રદેહ લીધો વિરપુરમાં,જે રાજબાઈમાતાથી અવનીપર આવી જાય
પરમકૃપાળુ સંસાર હતો પવિત્ર ભારતમાં,જે ભક્તિસાગરમાં રહી જાય
....એવા પવિત્રદેહને જગતમાં,શ્રધ્ધાભક્તિથી જયજય જલારામ પ્રેમથી કહેવાય.
પરમાત્માની પાવનકૃપા એ કુળમાં,ના અપેક્ષાની કોઇ ચાદર અડી જાય
કર્મનોસંબંધ મળેલદેહના જીવને,જે જન્મમરણની રાહથી જગતમાં દેખાય
પાવનકર્મ જીવનમાં કરતા જલારામ,જીવને પરમાત્માની કૃપાએ લઈ જાય
અન્નદાનની પાવનરાહ લીધી જીવનમાં,જ્યાં પ્રભુ પરિક્ષાકરવા આવી જાય
....એવા પવિત્રદેહને જગતમાં,શ્રધ્ધાભક્તિથી જયજય જલારામ પ્રેમથી કહેવાય.
સમયસંગે ચાલતા માનવદેહને,માબાપનો પ્રેમ મળે જે થયેલ કર્મથી દેખાય
આજકાલની નાકોઇ અપેક્ષા હતી,જે પત્ની વિરબાઈના સંગાથથી સમજાય 
માનવદેહને કૃપાએ પાવનરાહ મળી,એ નિરખવા પ્રભુ દેહલઈ આવી જાય
વિરબાઈની સેવાની અપેક્ષાએ માગણી કરી,જ્યાં પતિનીકૃપાએ ચાલી જાય 
....એવા પવિત્રદેહને જગતમાં,શ્રધ્ધાભક્તિથી જયજય જલારામ પ્રેમથી કહેવાય.
###############################################################