January 21st 2021

જયજય જલારામ

રામજલારામ બાપા વિશે | IsoWebTech.comરામ

.           .જયજય જલારામ                    

તાઃ૨૧/૧/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રદેહ લીધો વિરપુરમાં,જે રાજબાઈમાતાથી અવનીપર આવી જાય
પરમકૃપાળુ સંસાર હતો પવિત્ર ભારતમાં,જે ભક્તિસાગરમાં રહી જાય
....એવા પવિત્રદેહને જગતમાં,શ્રધ્ધાભક્તિથી જયજય જલારામ પ્રેમથી કહેવાય.
પરમાત્માની પાવનકૃપા એ કુળમાં,ના અપેક્ષાની કોઇ ચાદર અડી જાય
કર્મનોસંબંધ મળેલદેહના જીવને,જે જન્મમરણની રાહથી જગતમાં દેખાય
પાવનકર્મ જીવનમાં કરતા જલારામ,જીવને પરમાત્માની કૃપાએ લઈ જાય
અન્નદાનની પાવનરાહ લીધી જીવનમાં,જ્યાં પ્રભુ પરિક્ષાકરવા આવી જાય
....એવા પવિત્રદેહને જગતમાં,શ્રધ્ધાભક્તિથી જયજય જલારામ પ્રેમથી કહેવાય.
સમયસંગે ચાલતા માનવદેહને,માબાપનો પ્રેમ મળે જે થયેલ કર્મથી દેખાય
આજકાલની નાકોઇ અપેક્ષા હતી,જે પત્ની વિરબાઈના સંગાથથી સમજાય 
માનવદેહને કૃપાએ પાવનરાહ મળી,એ નિરખવા પ્રભુ દેહલઈ આવી જાય
વિરબાઈની સેવાની અપેક્ષાએ માગણી કરી,જ્યાં પતિનીકૃપાએ ચાલી જાય 
....એવા પવિત્રદેહને જગતમાં,શ્રધ્ધાભક્તિથી જયજય જલારામ પ્રેમથી કહેવાય.
###############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment