January 16th 2021

બજરંગબલી હનુમાન

.         .બજરંગબલી હનુમાન

તાઃ૧૬/૧/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્

પરમશક્તિશાળી પવિત્રદેહ,ભારતમાં બજરંગબલીથી ઓળખાય
પરમાત્માએ લીધેલ દેહ શ્રીરામના ભક્ત,શ્રી હનુમાનજી કહેવાય
....એ પવનદેવના પુત્ર સંગે માતા અંજલીના લાડલા સંતાન પણ કહેવાય.
પાવનકૃપા મળી પ્રભુની તેમને,જે શ્રીરામને ઘણોસાથ આપીજાય
ગદાધારી એ ભક્ત બન્યા જગતમાં,એજ લક્ષ્મણને બચાવી જાય
શ્રીરામના એવ્હાલા નાનાભાઈ હતા,જે બેભાન થઈ પડી ગયાતા
મળેલદેહથી ઉડયા સમયે,જે ઔશધીપર્વતને ઉયકીને લઇ આવ્યા
....એ પવનદેવના પુત્ર સંગે માતા અંજલીના લાડલા સંતાન પણ કહેવાય
પરમાત્માએ દેહ લીધા અયોધ્યામાં,જે શ્રી રામલક્ષ્મણથી ઓળખાય
પવિત્ર વ્હાલાભક્ત થયા શ્રીરામના,એ પવનપુત્ર હનુમાનજી કહેવાય
મળેલ માનવદેહને સમયની સાંકળ,લંકાના રાજા રાવણને અડી જાય
શ્રીરામના પત્નીસીતાને લઈગયા,જ્યાં હનુમાન રાજાનુ દહન કરીજાય
....એ પવનદેવના પુત્ર સંગે માતા અંજલીના લાડલા સંતાન પણ કહેવાય.
############################################################