અજબ કૃપાળુ
. .અજબ કૃપાળુ તાઃ૯/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ અબજો વર્ષોથી અવનીપર,પવિત્ર સુર્યદેવ પ્રત્યક્ષ દર્શન આપી જાય જગતમાં જીવતા દેહને સમયે,પ્રથમ સવાર પછી સાંજ મળતી જાય .....એ અજબકૃપાળુ પરમાત્મા કહેવાય,જેમના દુનીયામાં પ્રત્યક્ષ દર્શન થાય. મળેલ માનવદેહને સંબંધ થયેલકર્મનો,જે જીવને જન્મમરણ દઈ જાય અવનીપર આગમન થતા દેહને,નાતજાત મળે જે માનવીને સમજાય શ્રધ્ધા રાખીને ભક્તિરાહ પકડતા,દેહને મંદીર મસ્જીદ ચર્ચમાં જવાય પત્યક્ષ પવિત્ર સુર્યદેવ છે જગતમાં,સવારસાંજથી અનંતકૃપા કરી જાય .....એ અજબકૃપાળુ પરમાત્મા કહેવાય,જેમના દુનીયામાં પ્રત્યક્ષ દર્શન થાય. સમયસમજી ચાલતો માનવદેહ,નિર્મળભાવનાએ કર્મનીકેડી પકડી જાય જન્મ મળેલ દેહને પાવનકૃપા મળે,જ્યાં નિખાલસતાથી જીવન જીવાય પવિત્ર સુર્યદેવથી સવાર પડતા,પ્રાર્થના કરી અર્ચના કરીને વંદન કરાય એ પરમકૃપાળુ સુર્યદેવ કહેવાય,સવારમાં વંદનકરતા દેહને સ્પર્શ થાય .....એ અજબકૃપાળુ પરમાત્મા કહેવાય,જેમના દુનીયામાં પ્રત્યક્ષ દર્શન થાય. #############################################################