January 30th 2021

વ્હાલા પવનપુત્ર

+++તુલસીદાસ | મન નો વિશ્વાસ.+++

.           .વ્હાલા પવનપુત્ર          

તાઃ૩૦/૧/૨૦૨૧.               પ્રદીપ બ્રહ્મભટ્ટ     

શ્રી રામ ભક્ત હનુમાન,જગતમાં વ્હાલા પવનપુત્રથીય ઓળખાય
અજબ શક્તિશાળી લાડલા દીકરા,માતા અંજનીના પણ કહેવાય
.....પવિત્ર ભક્તિરાહ શ્રીરામકૃપાએ મળી,જે રાજા રાવણના દહનથી દેખાય.
પરમાત્માનુ આગમન ભારતમાં,જે ભુમી પવિત્ર કરવા જન્મી જાય
પવિત્રકૃપા મળી હતી શ્રીરામની,જ્યાં હનુમાનજી ઉડીને લંકા જાય
સીતામાતાને એ શોધી લાવ્યા,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
પિતા પવનદેવની કૃપાથઈ,જે રામના ભાઈ લક્ષ્મણને બચાવી જાય
.....પવિત્ર ભક્તિરાહ શ્રીરામકૃપાએ મળી,જે રાજા રાવણના દહનથી દેખાય.
શ્રી હનુમાનજી એસુર્યદેવની દીકરી,સુવર્ચલાના પતિદેવ પણ કહેવાય
મળેલદેહને પાવનરાહ મળી,જે માતાપિતાના આશિર્વાદથી મેળવાય
પ્રભુ શ્રી રામના જીવનમાં,આવેલ તકલીફને દુર કરવા એદોડી જાય
જગતમાં ઓળખાણ પવિત્ર ભક્ત તરીકે,જે તેમના કર્મથીજ દેખાય
.....પવિત્ર ભક્તિરાહ શ્રીરામકૃપાએ મળી,જે રાજા રાવણના દહનથી દેખાય.
############################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment