મળી માયા
######
. .મળી માયા તાઃ૩૦/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળી માયા દેહને અવનીપર,જે જીવને મળેલદેહને સ્પર્શી જાય કુદરતની આ લીલા જગતમાં,જે કર્મધર્મનો સંગાથ આપી જાય ....મળે પરમાત્માની પાવનકૃપા દેહને,એ જીવને જન્મમરણથી દેખાય. અવનીપર મળેલદેહને સંગાથ મળે,જે સમયસંગે જીવને સમજાય મળેલ માનવદેહના જીવને પાવનરાહમળે,એ ધર્મકર્મથી મેળવાય મળી માયા જો દેહને જીવનમાં,જે કાયાને અનેકરાહે લઈ જાય એ જીવને જન્મમરણના બંધનથી,અનેક કર્મનીકેડી આપી જાય ....મળે પરમાત્માની પાવનકૃપા દેહને,એ જીવને જન્મમરણથી દેખાય. નિખાલસપ્રેમ જગતમાં પરમાત્માનો,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય કૃપામળે દેહને જે જીવનેસંબંધ આપીજાય,એ પાવનરાહે દેખાય ના અડે મોહમાયા જીવનમાં,જ્યાં પાવનકૃપા પ્રભુની મળી જાય જીવને આવનજાવનથી છોડાય,જ્યાં જીવથી મુક્તિમાર્ગ મેળવાય ....મળે પરમાત્માની પાવનકૃપા દેહને,એ જીવને જન્મમરણથી દેખાય. *******************************************************