January 24th 2021

શ્રધ્ધાથી ભક્તિ

++ હનુમાન જયંતિ: પ્રોફેશન લાઈફમાં લાવવા ઈચ્છો છો બદલાવ તો હનુમાનજીને અર્પિત કરો આ ૫ ચીજો – Fitness Tips++

.           શ્રધ્ધાથી ભક્તિ

તાઃ૨૪/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપાળુ પરમાત્માની પ્રેમથીકૃપા મળે,જે પવિત્રજીવન કરી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા જીવનમાં,માનવદેહને પાવન કૃપા મળી જાય
....એજ સાચી ભક્તિ મળેલદેહની,જે ગતજન્મના થયેલકર્મને દુર કરી જાય.
પાવનકર્મનો સંગાથ મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભાવથી પુંજન થાય
ભજનભક્તિની પાવન કૃપા દેહને,જે અપેક્ષા આફતથી દુર કરી જાય
મળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,એ પવિત્રરાહે કર્મ કરાવી જાય
જગતમાં શ્રધ્ધાભાવથી પ્રાર્થનાકરતા,પવિત્ર હિંદુધર્મની ઓળખાણ થાય
....એજ સાચી ભક્તિ મળેલદેહની,જે ગતજન્મના થયેલકર્મને દુર કરી જાય.
મોહ માયા એ સ્પર્શે દેહને જીવનમાં,એ કળીયુગની અસરથીજ મેળવાય
પાવનરાહનો સંગાથ મળે દેહને,જે મળેલ માનવદેહને ભક્તિ કરાવી જાય
ઉજવળ જીવનની પવિત્રરાહની કેડી,એ શ્રધ્ધાથી ધુપ દીપ પ્રગટાવી જાય
એદેહના પવિત્રકર્મ અવનીપર,જે જીવને આવનજાવનથી મુક્તિ આપીજાય
....એજ સાચી ભક્તિ મળેલદેહની,જે ગતજન્મના થયેલકર્મને દુર કરી જાય.
#############################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment