May 22nd 2011

જવાબ નથી

                         જવાબ નથી

તાઃ૨૨/૫/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની અસીમ કૃપાએ જીવને માનવ જન્મ મળ્યો છે,
મળેલ જન્મ આ દેહથી સાર્થક થશે કે નહીં?
………….જવાબ નથી.

મને કે કમને સ્કુલમાં જઈ અભ્યાસ કરી લીધો છે તે ભણતરનો
જીવનમાં યોગ્ય ઉપયોગ થશે કે નહીં?
………….જવાબ નથી.

હાય અને બાયમાં દેહને જકડી રાખવામાં માણસાઇ અને સંસ્કાર
સચવાસે કે નહીં?
………….જવાબ નથી.

જન્મ આપતાં માતાએ વેઠેલી તકલીફો અને પ્રેમનો બદલો એ
મળેલ દેહથી પરત થઈ શકશે કે નહીં?
………….જવાબ નથી.

ચંન્દ્ર ઉપર પગ મુકવાના બહાને કરોડોનો ખર્ચો થાય છે,માણસાઇમાં
આ ગાંડપણની જરૂર છે કે નહીં?
………….જવાબ નથી.

બાળ હનુમાન સુર્યને ગળી ગયા હતા એ આપણો ધર્મ અને ઇતિહાસ
કહે છે .આ યુગમાં છે કોઇની તાકાત કે કોઇપણ સાધન વગર હવામાં
દસ ફુટ પણ ઉડી શકે?
………….જવાબ નથી.

આરબ દેશોમાં મુસ્લીમ ધર્મની પ્રજા રહે છે.ત્યાં ખ્રીસ્તીધર્મવાળા
અમે તમને મદદ કરીશુ એ બહાને કરોડોનો ખર્ચો કરે છે જેમાં તે
પ્રજાની કોઇ વિનંતી છે કે નહીં?
………….જવાબ નથી.

હું હિન્દુ,હું મુસલમાન,હું ખ્રીસ્તી,હું પારસી,હું શીખ આ બધા પૃથ્વી
પરના ધર્મ છે, જ્યારે જીવ દેહ મુકે છે પછી તેનો કયો ધર્મ છે.
…………જવાબ નથી.

++++++++++++++++++++++++++++++++++++=

April 12th 2011

અપેક્ષીત દોર

                            અપેક્ષીત દોર 
 
તાઃ૧/૪/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
બાળકની અપેક્ષા માતાથી.

૧. માતાનો પ્રેમ અને નિખાલસ સ્નેહ મળે.
૨. જીવનના દરેક સોપાને માતાના આશિર્વાદ મળે.
૩. ઘોડીયાની દોરી હલાવી મધુર નિંદ હલારડાથી લાવે.
૪. દુધને શીશી કે પ્યાલાથી મા પોતાના હાથથી પીવડાવે.
૫. ભીના કપડાંને બદલાવી મધુર સુગંધ અને બચીથી પ્રેમ આપે.
૬. નાના દેહને માતા પોતાના ખોળામાં લઈ ચમચીથી અન્નપુર્ણા બને.
૭. જીવને જન્મ દીધા પછી તેને સાચા રસ્તે ચાલવા સંસ્કારની છાયા આપે.

માતાની અપેક્ષા સંતાનથી 

૧. દીધેલા સંસ્કારને સાચવી ઉજ્વળ જીવન જીવે.
૨. બાળપણમાં દીધેલ પ્રેમ અને લાડને જીવનભર સાચવે.
૩. મારેલ એક ટપલી સતમાર્ગે દોરી ઉજ્વળ રાહ પકડી ચાલે.
૪. પોતે દીધેલ સંસ્કાર અને પિતાએ દીધેલ જીવનની કડી સાચવે.
૫. સુખ અને દુઃખમાં સદા સાથે રહી નિરાશતાને જીવનથી દુર ભગાડે.
૬. સંતાન બની માબાપને જે પ્રેમ આપ્યો છે તેજ જીવનસાથી સંગે પણ આપે.
૭. પિતાના પ્રેમને પારખી મળેલ કુળને પાવન કરી ભક્તિ અને મહેનતને સાચવે.

પિતાની અપેક્ષા સંતાનથી

૧. જીવનના દરેક સોપાન સમજીને ચાલે.
૨. સરળ ચાલતી કેડી પર જરૂરે પિતાનો સાથ લે.
૩. સાચી શ્રધ્ધા અને મહેનતને સાથે રાખી જીવન જીવે.
૪. ભક્તિનો સંગ રાખતાં પ્રભુની કૃપા મળે છે તે ધ્યાનમાં રાખે.
૫. નીતીને સાથે રાખી મહેનત કરતાં જીવનની વ્યાધીઓ ભાગી જશે.
૬. માબાપની કોઇપણ ટકોર એ સારા અને પવિત્ર જીવનનો અરીસો છે.
૭. લગ્ન જીવનની કેડી પકડતાં સંતાન માબાપના આશીર્વાદની જ અપેક્ષા રાખે.

==============================================

December 2nd 2010

ના ભઈ ના

                     ના ભઈ ના

તાઃ૨/૧૨/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

તમને ભુખ લાગી હોય તો ખાવું છે.
                                  …….ના ભઈ ના.

તમારે બહાર ફરવા જવુ છે. 
                                  …….ના ભઈ ના.

તમારે કૉક પેપ્સી પીવી છે.
                                  …….ના ભઈ ના.

તમારે શૉપીંગ કરવા આવવું છે.
                                  …….ના ભઈ ના.

તમને અહીંનુ ખાવાનું ભાવે છે
                                 ……..ના ભઈ ના.

તમારે ન્યુયોર્ક ફરવા જવું છે.
                                  …….ના ભઈ ના. 

તમારે બરગર ખાવા આવવું છે.
                                  …….ના ભઈ ના. 

તમારે વાળ કપાવવા આવવું છે.
                                  …….ના ભઈ ના.

તમારે મંદીરે ફરવા આવવું છે.
                                  …….ના ભઈ ના.

તમારે ગાડી શીખવા આવવું છે.
                                  …….ના ભઈ ના.

તમારે ફીલમ જોવા આવવું છે.
                                  …….ના ભઈ ના.

તમારે વેજી પીઝા ખાવો છે.
                                  …….ના ભઈ ના.

તમારે દરીયો જોવા આવવું છે.
                                   …….ના ભઈ ના.
તમારે બહાર ખાવા આવવું છે.
                                  ……..ના ભઈ ના

*તમારે ભારત પાછા જવું છે.
                 ……..હા જલ્દી હા…….હા ભઈ હા.

==============================

October 2nd 2010

નવરાત્રીના ગરબા

નવરાત્રીના ગરબાનો આનંદ માણવા નીચેની વેબ સાઇટ પર
જશો તો ગરબાનો આનંદ અને પવિત્ર તહેવારની ગુજરાતી યાદ
જરૂર આવશે.
              www.rangilogujarat.com

ગુજરાતી ગરબા માણો.  પ્રદીપ બ્રહ્મભટ્ટ.  ૨/૧૦/૨૦૧૦.

August 15th 2010

૧૪મી ઑગસ્ટ,૧૦

                      ૧૪મી ઑગસ્ટ,૧૦

તાઃ૧૫/૮/૨૦૧૦                     પ્રદીપ  બ્રહ્મભટ્ટ

દેશભક્તિ ગીતોનો રેડીયો કાર્યક્રમ,હ્યુસ્ટનમાં

eehaa Radio (AM1480)5 to 6:30PM

Host : Pradip Brahmbhatt

કાર્યક્રમ સાંભળવા નીચેની લીન્ક પર ક્લીક કરો

http://brahmbhatt.org/blogs/audio/

June 27th 2010

Pradip Brahmbhatt – eeHaaRadio.com – Audio

Please click here to hear the show, Pradip Brahmbhatt with friends on Radio on 062610

Radio Show: eeHaaradio.com – Weekend Radio Show in Houston, TX.

Good Job Papa!

Post was created by:
Dipal & Ravi

May 3rd 2010

ગુ.સા.સરીતાના સોપાન

                                 ગુ.સા.સરીતાના સોપાન
                                           મારી દ્રષ્ટિએ
૩/૫/૨૦૧૦                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુજરાતી સાહિત્ય  સરીતા,હ્યુસ્ટનને આદર મળવાના દસ સોપાન

ગુજરાતી ભાષાને જગતમાં ઉત્તમ રાખવાનો સંયુક્ત પ્રયત્ન છે.
રૂર જણાય ત્યાં એક્ત્રીત થઇને ભાષાનો આનંદ માણવાનો અથાગ પ્રયત્ન કરતા રહેવું.
રાખી ભાષા પ્રેમ જગતમાં ગુજરાતી હોવાનું અને ગુજરાતી ભાષાના ચાહક થઇ ઉત્તમ રીતે આવકારવાની ટેવ રાખનારનુ સન્માન કરવું.
તીરની  જેમ એક જ નિશાન છે કે ગુજરાતી ભાષાને જગતમાં ઉત્તમ  સ્થાન આપવું.

સાચો પ્રેમ અને સહવાસ મેળવી ગુજરાતનુ ગૌરવ વધારવું.
હિમાલય પર્વત અને સમુદ્રની વચ્ચે ગુજરાતી ભાષાને જ વહેવડાવી અને તેનો આનંદ અનુભવવો.
ત્યજી દેવા મોહમાયા ને અભિમાન,ફક્ત પ્રયત્ન કરવો કે હું ગુજરાતી ને મારી ભાષા
     ગુજરાતી જેનું મને ગૌરવ છે.

હનશક્તિ અને નિખાલસતા હંમેશાં સાથે રાખતાં મોહમાયા ભાગી જાય તેવો પ્રયત્ન.
રીધ્ધી સિધ્ધી દેવની જ્યાં કૃપા હોય ત્યાં સદા ગુજરાતી હોય તેવી પવિત્ર ભાવના.
તાલીઓના ગડગડાટમાં જે આનંદ છે તેજ આનંદ ગુજરાતી ભાષા અને ગુજરાતી રહેવામાં છે.

==================================================

April 29th 2010

શું મેળવ્યુ?

                                       શું મેળવ્યુ?

તાઃ૨૯/૪/૨૦૧૦                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

                મનુષ્ય પોતાની જાતને હોશિયાર સમજી કરોડો લોકોને
ઉલ્લુ બનાવે છે,જે જગતમાં જોઇ શકાય છે.છતાં આ  કળીયુગની
દેખાવની હવાને કારણે કોઇ પગલુ ભરાતુંનથી. તેથી દુઃખી માણસ
દુનીયાના કોઇપણ દેશમાં સુખની દીશા પણ જોઇ શકતો જ નથી. 
કરોડો ડોલરો કે રૂપીયાને માનવીના હિતમાં ન વાપરતાં પાંચદસ
માણસની વધારાની બુધ્ધિ જે ખોટા રસ્તે જ દોરે છે તેમાં કોઇ કંઇ
કરી શકતુ જ નથી.તેમાં સૌ પ્રથમ તો ચંદ્ર પર જવાની જરૂર શી?
પૃથ્વી પર ભગવાને જન્મ આપ્યો છે તો તે સાર્થક કરવા માટે તમારી
માણસાઇનો ઉપયોગ કરી  ગરીબ,અપંગ,ભુખ્યા,નિરાધારને સહારો
આપી તેમના જીવનને મદદરૂપ થવુ જરુરી છે નહીં કે લોકોએ કરેલી
મહેનતમાંથી મેળવેલ પૈસા (Social security) ને દેખાવ માટે
બગાડવા.સહારો બનવાને બદલે થોડા વર્ષો પર અઢળક ખર્ચો કરી
ત્યાં જીવ નથી તે જાણી એક પત્થર લઇ આવ્યા છે.જે નાસામાં છે.
અને હમણાં જઇને જોઇ આવ્યા છે કે ત્યાં પાણી છે.પરમાત્માની
સામે મનુષ્ય કાંઇજ નથી. આ ખર્ચા કરી લોકોની હાય મેળવી બીજુ
શું મેળવ્યું? પૃથ્વી પર ત્રણ ભાગ પાણી છે અને એક ભાગ જમીન
છે, તે તો બાળપણથી જગત જાણે છે.ત્યાં પહોંચેલ માણસ  કરી શુ
શકવાનો છે?કારણ ભગવાન એ જગતકર્તા છે.પાણી જોનાર માણસ
પાછળ ગરીબો અને મહેનત કરી જીવતા માણસોનીમજુરીએ મેળવેલ
આવકનો ધુમાડો કરી વલખાં મારી પાછોઆવવાથી તે જગત માટે કે
માનવ માટે કાંઇજ કરી શકવાનો જ નથી.
                 અત્યારે આ દેશમાં હાથમાં બોર્ડ લઇને લોકો ભીખ માગે
છે જે મેં જોયેલ છે.તો શા માટે જ્યાં જન્મ મળ્યો છે તે સાર્થક કરવા
પ્રયત્ન થતો નથી? કેમ ચંદ્ર પર જ માણસ જાય છે તમારી સુર્ય પર
જવાની તાકાત કેમ નથી? અઢળક નાણાનો બગાડ કરી ચાંચ ઉચીં
રાખવાની કોઇ જરૂર ખરી?
              આટલા વર્ષોથી ફક્ત ચંદ્ર પર જઇ અમેરીકા,ભારત,રશીયા
કે બીજા કોઇપણ દેશે પૈસાનુ પાણી સિવાય બીજુ કર્યુ શુ? પાણી જોયુ
જે પરમાત્માએ પહેલેથી જ રાખેલ છે.
               વૈજ્ઞાનીકોની કોઇ તાકાત નથી કે તે કુદરતને  હલાવી શકે.
એક વાવાઝોડુ કે વરસાદ રોકી શકાતો નથી તે બીજુ શું કરી શકે?
હા તે દેખાવ માટે અને કુદરતે જે રચના કરી છે તે તેની આંખથી
કે પછી દુરબીનથી જોઇ શકે અને તેમાં કોઇ ફેર કરવાની એક અંશની
પણ તાકાત નથી.તો શા માટે ગરીબોના અને મહેનત કરી જીવતા
માણસોના પરસેવાના પૈસા દુનીયાને દેખાડવા વ્યર્થ કરી તેમણે શું
મેળવ્યુ?
              પોતાનુ આયુષ્ય?          ના.
              કોઇની કૃપા?                  ના.
              ગરીબોની હાય?             હા.
              નાણાંનો વ્યય?              હા.

==================================

January 30th 2010

મો.ક.ગાંધી

                                      મો.ક.ગાંધી

તા ૩૦/૧/૨૦૧૦                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

            ભારતદેશની જનતા જે નામને આજે પણ ગૌરવ સહિત બોલે છે
તે નામ મહાત્મા ગાંધી.ગુજરાતના આ વીરે અહિંસાથી દેશનેઆઝાદીની
માળા પહેરાવી.ગુજરાતીઓ માટે આ અભિમાન અને ગૌરવ બન્યુ છે.
          આજના આ પવિત્ર દીવસને મહાત્મા ગાંધી નિર્વાણદીન કહેવાય છે.
અને તે નામની ઓળખાણ મારી સમજ પ્રમાણે નીચે પ્રમાણે થઇ શકે……..

શ્રી મોહનલાલ કરમચંદ ગાંધી શબ્દે શબ્દની સમજ ………..

શ્રીમાન

મોહમાયાને ત્યાગી પવિત્ર જીવન જીવી ગયા.
રેક પળને પારખીને જીવન સાર્થક કર્યું.
થી જોયા સ્વાર્થ કે લોભ,ફક્ત દેશની આઝાદી એ લક્ષ હતું
લાલચ અને લોભને દુર રાખી દેશ માટે જીવન અર્પણ કર્યુ.
ક્ષ મેળવવા ભારતની જનતા તેમનો સાથ બની

ર્મ અને ધર્મ જનતાને બતાવતા સૌનો સાથ મળ્યો.
હીમ અને રામને એક જોતાં કોમવાદ દુર રહ્યો.
હેનત કરી માનવતાનો માર્ગ લીધો.
ચંચળ મન પર કાબુ રાખી શ્રધ્ધાને સબળ કરી.
રેક જીવને માનવતાનો માર્ગ બતાવ્યો.

ગાંધી કુળને જગતમાં ભારતની શાન કરી.
ધીરજ રાખી સત્યનો માર્ગ મેળવી દેશને આઝાદ કર્યો.

         શ્રી મહાત્મા ગાંધીએ જીવન ઉજ્વળ કરી ગુજરાતીઓને જગતમાં
શાન અપાવી છે.

તે પવિત્ર જીવને કોટી કોટી વંદન.  પ્રદીપ બ્રહ્મભટ્ટ.તાઃ૩૦/૧/૨૦૧૦.

++++++++++++++++++++++++++++++++++++++++

December 13th 2009

ભીની ચાદર

                                    ભીની ચાદર  

તાઃ૨૫/૧૧/૨૦૦૯                                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

                  વિમલ એન્જીનીયરીંગ કંપનીમાં ક્લાર્ક તરીકે કામ કરતા શીવાભાઇ એક રાજપુત કુટુંબમાં જન્મ્યા હતા. બાળપણમાં તેમણે તેમના પિતાની મહેનત અને કુટુંબની લાગણી જોઇ હતી.તેથી લગ્ન પછી પણ પોતાના માબાપની સાથે રહી તેમના અવસાન સુધી બંન્નેની સેવા કરી હતી. તેમના પત્ની મંજુબેન એક મધ્યમવર્ગી સંસ્કારી કુટુંબમાથી આવેલા તેથીતેમણે પણ સાસુ સસરાની સેવા અંતસુધી સાચા પ્રેમથી કરી તેમના આશિર્વાદ પણ મેળવેલા.સમયતો કોઇને માટે રોકાતો નથી.આજકાલ કરતાં તેમને ત્રણ દીકરા ને એક દીકરી એમ ચાર સંતાનથયા.બાલમંદીર અને સ્કુલમાં ચારે બાળકો સારાગુણથી પાસ થતા અભ્યાસી જીવનમા વ્યસ્ત રહેતા અને માબાપનો પ્રેમ પણ સમયે મેળવી લેતા.જ્યારેમંજુબેન પતિની આવકને ધ્યાનમાં રાખીને કરકસરથી ઘર ચલાવતા હતા.

              બાળકોનુ ભવિષ્ય અને પોતાની ફરજ તથા જવાબદારી સમજતા મંજુબેન સવારમાં સૌથી પહેલા ઉઠતા અને નાહીધોઇ માતાની સેવા પુંજા કરી ઘરના બધા પરવારે તે પહેલા ચા નાસ્તો તૈયાર કરી તેમના પતિ માટે સમયસર ટીફીન પણ તૈયાર કરી દેતા. તેઓ આ કામમાં કદી પાછા પડતા નહીં કારણ તેમને બાળપણમાં તેમના માબાપના સંસ્કારમાં મળેલ.ચાર સંતાનોમાં મોટો દિકરો વિક્રમ કોઇકવાર પિતાની સાથે તેમની નોકરીની કંપનીમાં  પણ જતો.તેને ત્યાં બધી મશીનરી જોઇ તે કેવી રીતે ચાલ્રે,તેનાથી કેવી વસ્તુઓને તૈયાર કરે,કયુ મશીન ક્યારે કઇ રીતે ઉપયોગી થાય તેનો પણ તે વિચાર કરતો.તે ઘણી વખત તો તેના પિતાની મંજુરી મેળવી મશીન ચલાવનારની સાથે વાતો પણ કરતો.તેથી ઘણી વાર તેને તે કંપનીના મુખ્ય જવાબદાર એન્જીનીયર શીવાભાઇને કહેતા તમારા દિકરાને એન્જીનીયર કરી આ કંપનીમાં જ નોકરીએ લગાવી દેજો. આ બધુ સાંભળી તે તેના પિતાને પણ પુછતો કે પપ્પા મારાથી આવું ભણાય? ત્યારે તેને કહેતા બેટા તુ તારી લાયકાત કેળવું તો બધુ જ શક્ય છે.આ  બાબતે ઘણી વાર વિચારતો અને તે મગજમાં રાખી તે ધ્યાનથી ભણતરમાં રચાઇ રહેતો.તેની ધગસ અને મહેનતનુ એ પરીણામ આવ્યુ કે તે મીકેનીકલ એન્જીનીયરની ડીગ્રી ફસ્ટ ક્લાસે પાસ કરી આવ્યો તેને વિમલ એન્જીનીયરીંગ કંપનીમાં જ ઘણા સારા પગારથી નોકરી પણમેળવી લીધી.આજે પણ તે ઘણી સારી રીતે એ કંપની સંભાળે છે.

         બીજો દીકરો મુકેશ છ સાત વર્ષનો હતો ત્યારથી જ કોઇપણને કંઇપણ થાય તો તે તરત જ દોડી જઇ મદદ કરતો.અરે ગલીના કુતરાને કોઇ પત્થર મારે અને કુતરાને વાગેતો તરત દોડી જઇ તેને પંપાળે અને તેના દુઃખમા રાહત આપવા પ્રયત્ન પણ કરતો.માનવતા અનેમાણસાઇ તેને માબાપના સંસ્કારની દેન હતી. પુત્રના પારણેથી અને વહુના બારણેથી સંસ્કાર દેખાઇ આવે.તેમ સ્કુલમાં સારી રીતે માર્કસ મેળવી દરેક વખતે તે પ્રથમ જ આવે.તેથી સ્કુલમાંથી જ્યારે તે અભ્યાસ પતાવી નીકળ્યો ત્યારે તે સ્કુલમાં તેનો વિદાય સમારંભ સ્કુલના પ્રીન્સીપાલે ગોઠવી તેને વિદાય સમારંભમાં તે ડૉક્ટર થાય અને જગતજીવોની સેવા કરી જીવન ઉજ્વળ કરે તેવા આશિર્વાદ આપી પ્રમાણપત્ર પણ આપેલ.જે નજર સમક્ષ રાખી મુકેશે પોતાના નામની આગળ માબાપના આશિર્વાદ અને શિક્ષકોના આશિર્વાદને સાર્થક કરી ડૉક્ટરની લાયકાત પ્રથમ વર્ગમા પાસ કરી મેળવી સાર્થક કર્યા. 

          ત્રીજુ સંતાન દીકરી હતી.તેનુ નામ ગીતા.દીકરી હોવાથી માતાપિતાની તો લાડલી હતી પણ ભાઇઓની પણ તે વ્હાલી એક  જ બહેન હતી. રક્ષાબંધન, હોળી, દીવાળી, નવરાત્રી જેવા પવિત્ર તહેવારોમાં તે કુટુંબનો તથા સગા સંબંધીઓનો અનહદ પ્રેમમેળવી લેતી. ભણતરમાં પણ તે ભાઇઓની સાથે હતી.તેણે બી.એ. કર્યુ અને પછી એમ.એ. પ્રથમ વર્ગમાં પાસ કરી અને વિધ્યાનગરની સરદાર પટેલ યુનીવર્સીટીમાં આર્ટસ કોલેજમાં પ્રોફેસરની નોકરી પણ મેળવી લીધી.ચોથુ સંતાન દિકરો હતો.તેનુ નામ હિતેશ.ઘરમાં નાનો એટલે માબાપ,ભાઇબહેન તથા સગા વ્હાલાનો પણ પ્રેમ ખુબ મળતો હતો.ઘણા લાડકોડમાં પણ જીવનના ધ્યેયને મગજમાં રાખી મહેનત કરી કૉમર્સમાં ડીગ્રી મેળવી જીવનને ઉજ્વળ કરવાના માર્ગને પકડી ચાલતો હતો.

 

             સમય તો કોઇની રાહ ના જુએ તેને પકડીને જે ચાલે તેને સર્વ રીતે સુખ શાંન્તિ મળે.મુરબ્બી શ્રી શીવાભાઇના જીવનમાં પણ સમય પ્રમાણે મોટા દીકરા વિક્રમને નોકરી મળ્યા બાદ વડોદરાની એક વિમાકંપનીના માલિકની સંસ્કારી અને ભણેલ દીકરી કોમલ સાથે લગ્ન થયા.મુકેશના ભણતરને લક્ષમાં રાખી વાત વાતમાં કોઇથી માહિતી મેળવી અમેરીકા રહેતા રસિકભાઇ તેમની વચેટ દિકરી સીમા માટે માગણી કરવા ભારત તેમના મિત્રના સાળાને લઇને મળવા આવ્યા. તેમની દીકરીનો ફોટો જોઇ મંજુબેનને તેમના દિકરા માટે અમેરીકા જવાના ઉત્સાહમાં ગમી ગઇ.મુહરત જોવડાવી લગ્ન તારીખ નક્કી કરી નડીયાદ સંતરામ મંદીરના લગ્ન મંડપમાં લગ્ન પણ થઇ ગયા.દીકરી ગીતાને પણ ભણતર પત્યા બાદ વડોદરા રહેતા એક સંસ્કારી કુટુંબમાં યોગ્ય પાત્ર મળતા પરણાવી દીધી. હિતેનને પણ ભણતરની સીડી અને સંસ્કાર મળેલા તેથી તે પણ ભણવામાં ફસ્ટ ક્લાસે પાસ થતો. અને તેણે કાયદાનો અભ્યાસ કરી વકીલની દીગ્રી મેળવી અને વકીલાત શરુ કરી. ચારે સંતાન પોતપોતના જીવનની કેડી પકડી સંસારની સીડી પર પગરણ માંડી જીવન સાગરમાં ધુમવા માંડ્યા.લગ્ન પછી છ માસ બાદ મુકેશ પણ અમેરીકા પહોંચી ગયો.મુકેશે વિદાય વેળા માબાપની આંખમાં હર્ષના આંસુ પણ જોયા હતા. હવે પોતાના વ્હાલા સંતાનને ક્યારે જોશે તે વિચારે માબાપની આંખમાં પાણી આવી ગયા હતા.  દિવસો,મહીનાઓ અને પછી વર્ષ પાણીની માફક વહી જાય છે.મોટા દીકરાના બે બાળકોને અને દિકરીના દિકરાને પણ બાદાદાએ રમાડ્યા. ચાર વર્ષ પછી મુકેશે સીમાને વાત કરી અને પોતાના માતા પિતાને અમેરીકા બોલાવવાની ઇચ્છા દર્શાવી.સીમા કહે આપણા સ્નેહલના જન્મદિનની પાર્ટી રાખવાની છે તો તેમને છ મહીના માટે બોલાવીએ.બધાની સરળ સમજુતી થતાં ભારત ફોન કરી કાયદાકીય કાગળીયા મોકલી વિઝા મેળવવા ની તૈયારી કરવા જણાવ્યું.શીવાભાઇ અને મંજુબેન ને વિઝા પણ મળી ગયા.નક્કી તારીખે એરપોર્ટ પર મુકવા આવેલ ત્રણેય બાળકો તથા તેમના પણ બાળકોને આંખમાં આંસુ સાથે વિદાય આપતા જોઇ માબાપની આંખમાં પણ વિદાયના આંસુ આવી ગયા. 

             અમેરીકાની ધરતીપર માબાપના આગમન વખતે મુકેશ આંખમાં આંસુ સાથે બંન્નેને બાથમાં લઇ રડી પડ્યો. સીમા પણ સાથે આવી હતી તે હાય મમી હાય ડેડી કહી સાથે લાવેલ સામાનને કારમાં મુકી તેઓને ઘેર લાવવાની ગોઠવણ કરી રહી હતી. માબાપની આંખમાં ખુશીના આંસુની કોઇ સીમા ના હતી.ઘણા વર્ષો પછી પોતાના વ્હાલા મુકેશને જોતા અનહદ આનંદ થયો.ઘેર પહોંચતા સીમાના માતાપિતા તેમના વેવાઇના આગમનની રાહ જોતા હતા.તેઓને પણ ઘણા વખત પછી મળતા આનંદ થયો. આજકાલ કરતા ત્રણ માસ પુરા થઇ ગયા તેની ખબર પણ ન પડી.ભારતથી ખબર અંતર માટે ફોન આવ્યો તો તેમણે અહીં આનંદથી રહીએ છીએ તેમ જણાવ્યુ કારણ વિક્રમે તેમને કહ્યુ કે જો તમને ના ગમતુ હોય તો પાછા આવી જાવ.ત્યારે શીવાભાઇએ કહ્યુ કે અમે સ્નેહલના જન્મદીન પછી પાછા આવી શુ કોઇ ચિંતા ના કરતા.  

                   શુક્રવારે રાત્રે ઘરમાં જ પાર્ટી રાખેલ તેથી સાંજે ચાર એક વાગ્યાના અરસાથી ઘરમાં ડેકોરેશન માટે પુરુષો અને સ્ત્રીઓ આવી ગયેલ સાથે સીમાની બહેનપણીઓ પણ આવેલ.સીમાએ મુકેશના મમ્મી પપ્પાને કહી દીધેલ કે તમે તમારી રુમમાં જ રહેજો કારણ કામમાં કોઇ દખલ ના થાય.અને તમને કહુ ત્યારે જ સરખા કપડાં પહેરીને પાર્ટીમાં કૅક કાપતી વખતે આવજો.નવેક વાગ્યાના અરસામાં ઘરમાં મહેમાનોના અવાજ શરુ થતાંશીવાભાઇને ખ્યાલ આવી ગયો કે હવે પાર્ટી શરુ થશે.અને એટલામાં જ મુકેશે બારણુ ખખડાવ્યુ અને અંદર આવીકહ્યુ પપ્પા મમ્મી થોડીવારમાં તમે સારા કપડાં પહેરી બહાર આવી જજો. મહેમાનો ખુરશી પર ગોઠવાવા મંડ્યા વાતોચીતો અને દારુ પીવાનુ પણ શરુ થયું.કૅક ટેબલ પર મુકાતા એક માણસે તેમને બોલાવ્યા કહે તમને સર બોલાવે છે.

                            શીવાભાઇ ધોતીયુ અને ઝભ્ભો અને મંજુબેન સાડી પહેરી આવ્યા અને ટેબલ પાસે તેમના દિકરાની અને પૌત્ર સ્નેહલની સાથે ઉભા રહ્યા.  સ્નેહલ થોડો આઘો ગયો  એટલામાં તેની મમ્મી સીમા પેન્ટ અને શર્ટ પહેરીનેઆવતા સ્નેહલ તેની સોડમાં જતો રહ્યો. સાસુ સસરાને આ કપડામાં જોતા છણકો પણ કર્યો. સીમાએ સ્નેહલનો હાથપકડી કૅક કાપી તેને ખવડાવી પછી મુકેશે તેના દીકરાને ખવડાવી અને પછી પોતાના મમ્મી પપ્પાને પણ ખવડાવીબધા પોતપોતાની ખુરશી પર બેસી ગયા અને પાર્ટીનો આનંદ લેવા લાગ્યા. એકબીજાને મળામળનો આનંદ લેવાતો હતો. દારુ અને પીઝા અને ચીકન પણ ખવાતા હતા. શીવાભાઇ અને મંજુબેનને પોતાના દીકરાને આ રીતેપ્રથમવારદારુ પી અને માંસ ખાતો જોયો અચાનક સીમા તેમની પાસે આવી કહે તમે તમારી રુમમાં જતા રહો અને ફરીબહાર ના આવતા કારણ આ પાર્ટીમાં તમારુ કામ નહીં. કંઇ પણ ખાધા વગર તેઓ બંન્ને તેમની રુમમાં જતા રહ્યા.

                        મંજુબેનને  ઘણો જ આઘાત લાગ્યો તેઓ આખી રાત રડ્યા તેમના પતિ તેમને છાના રાખવા કહે આઅમેરીકા છે એટલે આપણે કાંઇ જ બોલવાનુ નહીં મુગા મોં એ જોવાનું.પણ મંજુબેનથી સહન ન થતા રડતા જ રહ્યાઅને શીવાભાઇ ક્યારે સુઇ ગયા તેનો પણ તેમને ખ્યાલ નથી.    સવારે દસેક વાગે બ્રશ કરતા કરતા મુકેશે બારણુખખડાવ્યુ અને બારણુ ખુલ્લુ જ હતુ એટલે તે ઉઘાડી અંદર જુએ છે તેના પિતા તેની માતા સુઇ ગઇ હતી તે પલંગઆગળ  માતાના પગ આગળ બેસી રડતા હતા. મુકેશે આવી પપ્પાને હલાવ્યા  કહે કેમ તમે અહીં બેસી  ગયા છો?અને મમ્મી કહેતા ઓઢેલી ચાદર ખેંચવા ગયો તો આખી ચાદર ભીની હતી.ધીમેથી ચાદર ઉઠાવતા તેની મમ્મીને મૃત હાલતમાં  જોતા એકદમ ચમકી ગયો અને કહે પપ્પા આ શુ થયું? તેના પપ્પા પાસે કોઇ જવાબ ન હતો તેઓધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા.મુકેશ કાંઇ પુછે તે પહેલા તેઓ બોલ્યા ગઇકાલના પ્રસંગમાં આઘાત લાગતા તે આખીરાતખુબ જ રડી છે અને એટલે આ ચાદર તેના આંસુથી ભીની થઇ છે.પોતાના દિકરાને ત્યાં આવી આ જે બન્યુ તેનાથીશીવાભાઇને ખુબ જ દુઃખ થયું. મુકેશે તેના ભાઇબહેનને ભારત ફોન કરી જણાવ્યું.શીવાભાઇએ મુકેશને તેમને ભારતપાછા જવું છે તો તેમની જવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી.મુકેશ કહે પપ્પા હુ ટાઇમ મળે ગોઠવણ કરીશ. આ વાતને  ત્રણ દીવસ થયા હશે સવારમાં દવાખાને જતાં ચા નાસ્તો કરવા ટેબલ પર બેસતા મુકેશે પપ્પાને ના જોતા અને તેમની  રુમનું બારણું બંધ જોતા સીમાને પુછ્યું પપ્પા કેમ નથી આવ્યા સીમાએ તેના નોકરને જોવા કહ્યુ નોકરે બારણુ ખખડાવ્યું અંદરથી બંધ હતું તેથી ખુલ્યુ નહીં ફરી ખખડાવ્યું કોઇ જવાબ ન આવતાં મુકેશ ઉઠીને આવી પપ્પા પપ્પાની બુમ પાડીબારણુ ના ખોલતા નોકર પાસે બીજી ચાવી મંગાવી બારણું ખોલ્યુ તેણે તેના પપ્પાને ચાદર ઓઢીને સુતેલા જ જોયાચાદર ખેંચતા તેણે તેના પિતાને મૃત્યુ પામેલા જોયા તરત સીમાને બુમ પાડી, સીમા આવે તે પહેલાં તે ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યો. અમેરીકા આવી તેના માતાપિતા બંન્નેને દેહ મુકવો પડ્યો.

===============================================================================

« Previous PageNext Page »