May 9th 2007

મમતા

 પ્રદીપ બ્રહ્મભટ્ટ               મમતા             ૪-૩-૧૯૯૯

માયાવી સંસાર જગતમાં, સ્નેહ બધે છે ભાસે
      એકએક  તાંતણાને  તાંણો  મમતા  સૌ માં લાગે.
                                                                 ….માયાવી સંસાર
સંસાર થકી આ સકળ જગતને પામવાને નીકળ્યા આજે
ઘડી-બેઘડી મનમાં લાગે  સગાં સૌ છે  આપણી  સાથે
પણ આ માનવ જીવનમાં કાયાને વળગી રહી છે માયા
આજકાલ  કરતાં વરસોથી અળગી ના મમતાની છાયા
                                                                 ….માયાવી સંસાર
અકળ જગતમાં જીવમાત્રને ક્યાંથી વળગી માયામમતા
ના કોઇ તેનાથી રહી શક્યા આ ભવમાં તેનાથી અળગા
મળેલ હૈયા હેત ભરેલ  જીવનજીવી સદા વરસાવે સ્નેહ
પ્રદીપ બને તો મમતા છુટે ને  જીવનમાં કોઇ  કુનેહ.
                                                                ….માયાવી સંસાર
લઘરવઘર  આ જીવન  પગથી  સુખ સંસારની ભાસે
કેમ કરીને  પ્રેમ મેળવવા  જીવડાં  મનથી  વાંછે
ના વળગી રહેશે ન વળગશે એતો અંતે વિસરાઇ જાશે
મિથ્યા માયા,મમતા મિથ્યા,મિથ્યા જગત આ લાગે.
                                                           …માયાવી સંસાર
                   ———

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment