May 1st 2007

માનવ અને મનુષ્ય

                                                               માનવ અને મનુષ્ય     

પ્રદીપ બ્રહ્મભટ્ટ (આણંદ)  હ્યુસ્ટન.        

                    માનવીનું જીવન સંઘર્ષથી ભરેલું છે. જો જીવનમાં સંઘર્ષ ન હોય તો તે જીવન નથી.કારણ સંઘર્ષ જ માનવને મનુષ્ય બનાવે છે.  સંઘર્ષોનો સામનો કરતો આ માનવ ત્યારે જ મનુષ્ય બની શકે છે જ્યારે તે સંઘર્ષોનો સામનો કરતો આનંદીત જીવન જીવી તેમાંથી પાર નીકળે છે.જન્મ ધારણ થતાં માનવ પોતાના માથે જવાબદારીઓનો બોજ લઈને જ આવે છે.  માનવીને માનવ તરીકે જીવન જીવવા માનવતા ભરેલા વર્તન સહિત સત્કર્મો કરવા તે તેનું કર્તવ્ય છે. મનુષ્ય સંઘર્ષમાં વણાયેલ છે. મનુષ્ય અને માયા એ જીવનરુપી રેલગાડીના પાટા છે, કારણ તે જ જન્મોજન્મના જીવનના પાયામાં છે.અને તેથી જ કોઇપણ મનુષ્ય કોઇપણ કામ કરવા પ્રેરાય છે તૈયાર થાય છે.       મનુષ્યના જીવનમાં નીચેના વિધાનને જો વણવામાં આવે તો તે પોતાના જીવનને ઉત્તમ રીતે જીવી શકે અને એવી રીતે જીવે કે જે બીજાને પણ ઉત્તમ રીતે જીવન જીવતા શીખવાડી શકે,  પ્રેરી શકે જે આ વિધાનથી ખ્યાલ આવી જશે.                           માનવીના જીવનમાં સદાચાર અને પરોપકારની ભાવના હંમેશા પ્રગતિકારક અને ઉત્તમ જીવન બનાવે છે. અક્ષરસહ ઉપરોક્ત વિધાનને જાણી લેતાં આદર્શ મનુષ્ય બનવામાં કોઈ આંચ આવતી નથી.જે નીચે દર્શાવેલ છે. 

માબાપને હંમેશા આદર્શ બનાવો. 

ર્યો સ્વાર્થ ન જોતાં પરમાર્થ પણ કેળવો. 

વીચાર એવા કરો કે જેનાથી તમારું તથા બીજાનું પણ કલ્યાણ થાય.

 નામને દૂર રાખી પોતાના કામથી મહાન બનો. 

જીંદગીમાં સારા કર્મો જ સાથે આવશે તે પ્રથમ જાણો. 

ર્તન એવું કરો કે જે સૌ સ્વીકારવા પ્રયત્ન કરે.

 જરથી હંમેશાં સારું અને સત્ય જોતાં શીખો. 

માંની મમતા અને પિતાનો પ્રેમ એ જીવનને નિર્મળ બનાવે છે. 

દાય પ્રેમને સાથે રાખો આનંદ આવશે. 

દાન એતો જીવનનું ભાથું છે જે સમજીને કરવું. 

ચાર્તુયતા એમાં છે જે વિવાદને ત્યજી દે. 

ખે આકાશ તુટી પડે સત્યને વળગી રહેવું. 

વતાર એતો કર્મોની પોટાલી છે. 

નેતર અને જીવન વાળો તેમ વળે તે ર્નિવિવાદ છે. 

રમાત્માની એક નજર એ ભવોભવનો સંતોષ છે.

રોજ પોતાના જીવનદાતાને યાદ કરશો તો જીવન આર્દશ બનશે.

તંગ અને જીવન ક્યારે કપાય તે કોઇ જાણતું નથી.

કાતર જેવા ન બનતાં સોયના ગુણ ગ્રહણ કરવા પ્રયત્ન કરો.

ખેવાળ જેનો પરમાત્મા છે તેને બીજો કોઇ ભય નથી.

નીજ જીવન પરમાત્માને શરણે કરે તેનો ઉધ્ધાર અવશ્ય છે.

ભાઈભાંડુ કર્મનું બંધન છે,સ્વીકારી લો.

ર્તન એ જીવનનો અરીસો છે.

નામ સ્મરણ એ વર્તનને પવિત્ર બનાવે છે.  

ઊપરોક્ત કથનને છણાવટથી જીવનમાં ઉતારતાં મનુષ્ય કર્મથી પણ ઉત્તમ જીવનજીવવા પાત્ર બને છે.અને તેના આત્મામાં જીવન જીવ્યાં કરતાં આત્માને પરમાત્માનો પ્રેમ ચીર શાંન્તિઅર્પે છે.અને તેથી જ તે આર્દશ મનુષ્ય બની શકે છે.ભુલ કરવી એ માનવનો  હક્ક હોય તો કરેલી ભુલને સુધારી  લેવી ફરજ બને છે. ભુલ ન કરનાર દેવ છે,  સુધારનાર વીર છે. કરનાર માનવ છે અને છુપાવનાર અપરાધી છે.આ જગતનું સત્ય છે મનુષ્યનું જીવન અને સંગીતની સરગમ એ બંન્ને સરખા છે.                                                                      

                                                             ————-

May 1st 2007

સમજવાની સમજ

સમજવાની સમજ             

                   તમે જે સમજ્યા તે વાત સમજતાં મારે થોડી વાર લાગી  કારણ તમારી સમજ અને મારી  સમજવાની સમજમાં થોડો ફેર છે. તમે જે સમજો છો તે મારે સમજતાં સમય લાગે છે, તેના મૂળમાંમારી સમજવાની સમજ સમજીને સમજવાની છે.હું જે કાંઈ સમજવા પ્રયત્ન કરું છું તે  સમજીને સમજુ છું એટલે આપણી સમજવાની   સમજમાં ફેર છે.તમારી  સમજવાની સમજ સરળ  છે જ્યારે મારી સમજ તે વાતને સમજીને સમજવાનું લક્ષમાં રાખીને સમજવાની વ્રુતિ રાખે છે  અને તેથી આપણી બન્નેની સમજમાં સહજ ફેર છે. તમે જે વાત તુરત સમજી શકો છો તે સમજ   મારી સમજમાં આવતાં વાર લાગે છે કારણ કોઈપણ કામને સમજીને સમજતાં તેમાં રહેલ ધ્યેયને  તમે પામી શકો છો અને  તેથી તે સમજવામાં સફળતા સમાયેલી છે જે સમજ્યાં વગર સમજવામાં  નથી મળતી અને તેથીજ મારી સમજવાની સમજ સરળ નથી અને આને કારણે જ તમારી સમજવાની સમજ સરળ છે  જ્યારે મારી સમજવાની સમજ અલગ છે.…………….પ્રદીપ બ્રહ્મભટ્ટ