જાગી જજે
જાગી જજે
તાઃ૩૧/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુર્યોદયના અણસારને સમજી જીંદગીને તુ પામી લેજે
મળતી માનવતાના સહવાસને જીવનમાં મેળવી લજે
………સુર્યોદયના અણસારને સમજી.
આગમનનોઅણસાર જીવનમાં પરમાત્મા તને કરી દેશે
સાચી કમાણી તારી મળી જતાં જગતજીવથી છુટી જશે
કરતાં સારા કામ જીવનમાં મહેંક માનવતાની દઇ જશે
નારહેશે અવનીએઆશ જીવનમાંજ્યાં સવાર મળી જશે
………સુર્યોદયના અણસારને સમજી.
કરજે કામ દાન જીવનમાં ને દેજે અવનીધર આધારીને
સફળતાના સહવાસને માણી લેજે કર્મતણા બંધન જાણી
અવની તણા અવતારની મહેંક મેળવી મુક્તિ માણીલેજે
ના આશા કે નિરાશા રહેશે ધરતી પર સહવાસરહી જશે
………સુર્યોદયના અણસારને સમજી.
++++++++++++++++++++++++++++++++++++++++