February 6th 2009

શાને માટે?

                             શાને માટે?

તાઃ૫/૨/૧૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
મનમાં જાગે હેત,જ્યાં વરસે પ્રેમની વર્ષા
        જન્મ મળતા જીવનમાં, પ્રેમ શાને માટે?
                      .........મનમાં જાગે હેત.
જન્મ મળે જ્યાં અવનીએ,ત્યાં માતાપિતા હરખાય
        પાવક પ્રેમની જ્વાળા,આશિર્વાદે મળી જાય
ઉજ્વળ જીવન દીસે અનેક,જ્યાં માનવતા મહેંકાય
      પ્રેમની વર્ષા મળી જતી,ને હૈયા ઉભરાઇ જાય
                       ........મનમાં જાગે હેત.
સંતાનનો ત્યાં લાગે સ્નેહ, ને સગા હરખાય આજે
       મળતી માયા માબાપને, સુખ સમૃધ્ધિ કાજે
લાગી લગની ભક્તિની, જ્યાં ભક્ત જલારામ ભજાય
       અંત જીવનો ઉજ્વળ થાશે,તો ચિંતા શાને માટે?
                       ........મનમાં જાગે હેત

#######################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment