ભક્તિનો તાલ
ભક્તિનો તાલ
તાઃ૧૭/૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ્
તાલીઓના તાલમાં,ને મંજીરાના રણકારમાં
ગુંજે જગમાં નામ જે, તે ભક્ત જલાસાંઇ છે
………તાલીઓના તાલમાં ને.
પ્રેમ મહેંકને માનવમન, ઉજ્વળ જીવન છે હરદમ
મળેપ્રભુની ન્યારીપ્રીત,જ્યાં શ્રીરામની ભક્તિનીત
લીધી એક લકીર પ્રેમની, સાર્થક જન્મ એ છે રીત
મુખ માયાને રટણ હૈયે,ને જ્યોત પ્રભુથી સદા જલે
………તાલીઓના તાલમાં ને.
જીવ જગતમાં સાચીરીત,પ્રભુ સ્મરણથી કરવીપ્રીત
લીધી માળા બદલે કાયા, મોહ માયાની જશે છાયા
સંત સમાગમ મળે સાચો,ના આવે જગે કોઇ વાંધો
પ્રેમ થયો જ્યાં જલારામને,સાંઇબાબાનો મળે સ્નેહ
………તાલીઓના તાલમાં ને.
ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ