જીવની જ્યોત
જીવની જ્યોત
તાઃ૧૮/૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભાવથી ભક્તિ કરતાં જગમાં જીવને જ્યોત મળે
પાવક જીવન બનીજાય ને ઉજ્વળ મન હરખાય
……..ભાવથી ભક્તિ કરતાં.
પ્રભુ કૃપા જ્યાં મળીજાય,ત્યાં સ્નેહ સદા લહેરાય
હૈયેહેત ને ઉભરેપ્રેમ,વળી ઉજ્વળ જીવનથઇજાય
અવની પરના આગમને, પરમપિતા મળી જાય
ના માયા ના મોહ રહે ,જ્યાં મનને શાંન્તિ થાય
……..ભાવથી ભક્તિ કરતાં.
જગજીવનમાં પ્રેમ મળે, જ્યાં સંતો સાચા પુંજાય
જલારામની જ્યોત મળે,ને વળીસાંઇબાબાનો સ્નેહ
સાચી ભક્તિ સંસાર થકી,જે સાર્થક જન્મે લઇ જાય
જીવ જગતથી મુક્તિ પામે,થશે અવનીથી ઉધ્ધાર
……..ભાવથી ભક્તિ કરતાં.
માનવજીવન મહેંકશે,ને વળી મનને મળશે શાંન્તિ
ભક્તિપ્રેમ ને માનવપ્રેમ,મળી જશે જીવનને રહેમ
ના વ્યાધી કે કોઇ ઉપાધી, ભક્તિએ જશે સૌ ભાગી
માગણી માનવમન થકી,નથી પરમાત્માથીઅજાણી
……..ભાવથી ભક્તિ કરતાં.
+++++++++++++++++++++++++++++++++++++++++