February 26th 2009

શરણે વિરપુરવાસીને

                      શરણે વિરપુરવાસીને

તાઃ૧૯/૧૧/૧૯૮૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો તમારે શરણે, ઓ જલાબાપા
             વિરપુર ધામના છો તમો વાસી
                                ……..ઓ જલારામ બાપા.
નીત સ્મરણ થાય મારા મનમાં
            જાય પડતાં તન પરના દુઃખો
શરણાનો છે સંગ એવો
             ભુલુ બધા હું તનને પડતા દુઃખો
                               ……..ઓ જલારામ બાપા.
શીતળ છાયા અમ પર તમારી
             લાગે જ્યાં ત્યાં જ્યારે ત્યારે
મુજ પર છે આપની છાયા
             જન્મ સુધરશે જ અમારો.
                               ……..ઓ જલારામ બાપા.
લગની તમારી મને છે લાગી
             બીજી બધી લાગે મને વૈરાગી
શરણુ તમારુ લીધુ છે મનથી
            બાળ ગણીને બચાવો આભવથી
                              ……..ઓ જલારામ બાપા.

——————————————–

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment