April 9th 2009
	 
	
	
		                    અજ્ઞાનતાનો અંધકાર   
–
 તાઃ૮/૪/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
મેં કર્યુ મેં કર્યુ  તેમ મનથી  સમજાય છે પળવાર
કેવી રીતે ક્યારે થયુ, તેનો કંઇ ના મળે અણસાર
                                  ……….મેં કર્યુ મેં કર્યુ  તેમ.
મનુષ્ય જીવનમળે અવનીએ,પળમાં પરખાઇજાય
પ્રાણીમાંથી મુક્તિ મળતાં,કૃપાએ માનવી થવાય
મતિની ગતીને માણતાં,સાચી સમજ આવી જાય
શુધ્ધ બુધ્ધિએ વિચારીએ,ત્યાંઅજ્ઞાનતા દુર થાય 
                                  ……….મેં કર્યુ મેં કર્યુ  તેમ.
એક ભાવના ટેકમાં રહેતા,સાચી દ્રષ્ટિ મળી જાય
ઓળખી લેતા માનવ મનને,પવિત્ર જીવન થાય
ભજન ભક્તિને સંગે રાખતાં,પ્રભુ કૃપા મળી જાય
સાચીસમજ આવતાં,અજ્ઞાનતાનો અંધકારદુરથાય
                                  ……….મેં કર્યુ મેં કર્યુ  તેમ.
 
++++++++++++++++++++++++++++++++++++++
	 
	
	
 
	
	 April 9th 2009
	 
	
	
		                            લાયકાત
તાઃ૮/૪/૨૦૦૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુત છે આ લીલા, જે સમજી ના સમજાય
કેવી વૃત્તિ આ મનની,ના પારખી ના પરખાય
                               ………અદભુત છે આ લીલા.
આંગણેઆવી ઉભીરહી,ઉજ્વળ જીવનની જ્યોત
મનની મુંઝવણમાં મળી રહે,નાજાણી જીવે ખોટ
અવનીપર જ્યાં દેહ મળે,ત્યાં સૃષ્ટિને સમજાય
ઉત્તમ જીવનની આ કેડી,લાયકાતે જ મળીજાય
                               ………અદભુત છે આ લીલા.
તનમનથી વિચારતાં, છે સકળ જગત પરખાય
ભક્તિના એક તાંતણો,જીવને શાંન્તિ મળી જાય
આગળનો વિચાર કરેત્યાં, ભુતકાળ ગળી જવાય
સમજીસાચવી જીવેજીવન,કૃપાલાયકાતે મળીજાય
                                ………અદભુત છે આ લીલા.
મેળવી લેવી માનવતા,તો જગતપ્રેમ મળી જાય
ના માગવી કોઇ માગણી,પ્રભુ કૃપાએ આવી જાય
સંતની સાચી સેવા મળે,ત્યાં સંસાર ઉજ્વળ થાય
જલાસાંઇની ભક્તિ નિરાળી,લાયકાતે પ્રેમમળીજાય
                                ………અદભુત છે આ લીલા.
=======================================