April 11th 2009

લાગી માયા

                                લાગી માયા

 

.તાઃ૧૧/૪/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા મમતાના બંધનમાં,વણાઇ ગયો છે સંસાર
ના છુટે આ સગપણ જીવથી,જન્મ મળે જગમાંય
                                ……..માયા મમતાના બંધન.
દેહ મળેજ્યાં અવનીએ,ત્યાં માતાપિતા હરખાય
ચાલે ડગલું એક ત્યાં,ભાર અવનીએ એક લદાય
મળે પ્રેમ સગાસંબંધીઓનો,ને આનંદ મળી જાય
પાણી માગતા દુધમળે,ત્યાં માયા સંસારી કહેવાય
                               ……..માયા મમતાના બંધન.
પ્રેરણા જગમાં જ્યાંત્યાં મળતી,ના શોધી શોધાય
સોપાન જગમાં સમજી ચાલતા,મનડુ છે હરખાય
સંસારની સાંકળ છે ઝાઝી,ના છુટે જગે પળમાંય
વણાય જગતમાં ભક્તિજીવે,માયા પ્રભુની કહેવાય
                               ……..માયા મમતાના બંધન.

ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment