April 27th 2009

વાણી વર્તન

                                 વાણી વર્તન  

તાઃ૨૭/૪/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાણી વર્તન સુધરશે,જ્યાં વિચાર આવશે નિર્મળ
પ્રેમ પ્રીત ના માગવી પડશે,મળી જશે એ તત્પર
                                      ……વાણી વર્તન સુધરશે.
સ્નેહ પ્રેમને વણી લેજો,દીન રાત આ અવનીપર
મળી જશે માયા ને પ્રેમ, લાગશે જીવન ઉજ્વળ
સાર્થક જીવન બની જશે,ને મુકી જશો એક યાદ
ના માગણી પ્રભુથી રહેશે,મળશે મુક્તિ અંતકાળ
                                      ……વાણી વર્તન સુધરશે.
કોણેકર્યુ ક્યારેકર્યુ ના મળશે જીવને કોઇ અણસાર
મુક્તજીવન પ્રભુ પ્રેમથી,ને જીવ ઉજ્વળ છેદેખાય
આગણે જ્યારે મુક્તિ આવે,સંત જલારામ હરખાય
વાણી પ્રેમ મેળવશે જીવનમાંને વર્તન મહેંકીજાય
                                       ……વાણી વર્તન સુધરશે.

————————————————-

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment