May 9th 2009

નાજુક માયા

                           નાજુક માયા

તાઃ૯/૫/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી જાય જો માન તમને,ના કરશો અભિમાન
ઉજ્વળ જીવન થઇ જશેને,મળશે સદા સન્માન
                            …….મળી જાય જો માન.
નમણી નાજુક માયામાં,જો પડી ગયા પળવાર
મળશે માયાને મોહ અપાર,તો નહીંરહે ઘરબાર
મોહકલાગે જ્યાં મનથી,ત્યાં વિચાર જો અપાર
નહીંતો જીવનમાંઝંઝટ,નેનહીંરહે શાંન્તિ લગાર
                            …….મળી જાય જો માન.
કિરણ એક સુરજનું, જગમાં પ્રભાતમાં દે ઉજાસ
સૃષ્ટિના સહવાસમાં રહેતાં,માનવ મન મલકાય
કુદરતની કામણગારી આલીલા,સૃષ્ટિમાંસથવાર
પ્રભુકૃપા મળી જાય જો,નહીં વળગે માયાલગાર
                           …….મળી જાય જો માન.

====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment