May 27th 2009

ભક્તિભાવને પ્રેમ

                   ભક્તિભાવને પ્રેમ

તાઃ૨૬/૫/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ ભાવથી માળા કરુ છુ,ચરણે તમારે શીશ ધરુ હું,
ઉજ્વળજીવન શરણેધરીને,પાવનપ્રેમને માગી રહ્યો છુ.
…..ઓ ગણપતી બાપા તમને ભક્તિ ભાવથીનમન કરુ છુ.

સવાર સાંજ ને પારખી લેતા,ધુપદીપ ને વંદન કરુ છુ.
મળતી જગની માયા છોડીને,  કાયાના કામણ છોડુ હું,
સ્નેહપ્રેમની જ્યોતજાગીને,લાગે મનથી ભક્તિ તમારી,
પરમદયાળુ અતિ કૃપાળુ,સ્વીકારજો પ્રભુ પ્રેમ અમારો.
…..ઓ ગણપતી બાપા તમને ભક્તિ ભાવથીનમન કરુ છુ.

રીધ્ધીસીધ્ધીના છોઅધીકારી,જગતજીવના બલીહારી,
પ્રાણથીપ્યારા તમો પ્રભુછો,અધમઉધારણ અવીનાશી,
અંતરથી હુ સ્મરણ કરીને, પ્રેમથી જીવનચરણે ધરુ છુ,
માગણી મનથી મુક્તિકાજે,રાખજો હૈયે અરજી અમારી.
…..ઓ ગણપતી બાપા તમને ભક્તિ ભાવથીનમન કરુ છુ.

+++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment