March 18th 2010

મોહ ની લીલા

                           મોહ ની લીલા

તાઃ૧૮/૩/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

મણકા મોહના જો મળી ગયા,તો જીવન ભટકી જાય
એક એકને ગણતા રહેતા,માનવ  જીવન વ્યર્થ થાય
                   ………..મણકા મોહના જો મળી ગયા.
માયાતો બારણે ઉભીજ હોય,એ તક મળતા લપટાય
ભોળપણ મનનુ પારખી લેતાં,જીવનમાં વળગી જાય
શીતળ તેનો સહવાસ સમજી,કેડી એ ચાલી સહવાય
મળતી તકને પકડી લેતાં,માનવ જીવન હણાઇ જાય
                      ……….મણકા મોહના જો મળી ગયા.
નાઅણસાર મળે કદી જીવને,કે ના માર્ગ સરળ દેખાય
આવી તકલીફમળે જીવનમાં,ત્યાં ના મુક્તિને જોવાય
ઉજ્વળજીવન પામર થઇજાય,ને જન્મો જન્મ ભટકાય
નાઆરો કે ઓવારોરહે,જ્યાં મળેલ જીંદગી બગડી જાય
                       ……….મણકા મોહના જો મળી ગયા.

================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment