સંકેત
. .સંકેત
તાઃ૨૯/૪/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવ માત્રની પરખ અનોખી,એ ઝટપટ ના પરખાય
વાણી વર્તન સમજી લેતાં,સંકેત વર્તનનો મળી જાય
. ………………..જીવ માત્રની પરખ અનોખી.
મળેલપ્રેમ માબાપનો,બાળકને સ્પર્શતા સમજાઇ જાય
પારકા દેહનો સ્પર્શ થતાં,હ્રદયથી ઉંઆ ઉંઆ થઇજાય
દેહથી થતાં વર્તનનેસમજી,મળેલ જીવની પરખ થાય
વાણી સાંભળી જીવનેઓળખે,એ સંકેત પ્રભુનો કહેવાય
. ………………..જીવ માત્રની પરખ અનોખી.
આવી બારણે ઉભો રહે,ને ઉમળકો ખોબે ભરી દઈ જાય
લઈલે જીવનનીસરળતાં કાલે,જીવ ભવસાગરેભટકાય
સંકેત દીધો આંગણે આવી,જે કળીયુગમાં ના સમજાય
આનંદને ઉલેચી લેતાં,જીવનમાં દુઃખ સાગર છલકાય
. …………………જીવ માત્રની પરખ અનોખી.
***********************************************