અંતરનો આદેશ
. અંતરનો આદેશ
તાઃ૪/૪/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ મનને મળે શાંન્તિ,જ્યાં જીવે જ્યોત પ્રગટાય
અંતરનો આદેશ મળે દેહને,ત્યાં જન્મસફળ થઈ જાય
. …………………માનવ મનને મળે શાંન્તિ.
નિર્મળ ભાવના સંગે રહેતાં,જીવને શાંન્તિ મળી જાય
સાર્થક જીવનની કેડી મળતાં,સુખ સાગર મળી જાય
ના માગણીઅપેશા રહેતાં,મળેલ જન્મ સફળ દેખાય
મારા તારાની અગણીત લીલા,દેહથી દુરભાગીજાય
. ………………….માનવ મનને મળે શાંન્તિ.
વાણી વર્તન દેહના જીવનમાં,કર્મનાબંધનથી વરતાય
કૃપાની કેડી મળે જીવને,જીવનમાં સદમાર્ગને સચવાય
સાચી શ્રધ્ધા મનથી રાખતાં,જીવથીમુક્તિમાર્ગમેળવાય
પ્રેરણા એતો સંકેત પ્રભુનો,જે અંતરની ઉર્મીથી સમજાય
. …………………માનવ મનને મળે શાંન્તિ.
+++++++++++++++++++++++++++++++++++++++