April 17th 2012

અંતરયામી

.                       .અંતરયામી

તાઃ૧૭/૪/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગળ ચાલવા અણસાર મળે,ને મનમાંય મંથન થાય
સમજણ સાચી કૃપાએમળતાં,અંતરયામી ને ઓળખાય
.                      …………………આગળ ચાલવા અણસાર મળે.
જીવને ઝંઝટ કર્મથી મળે છે,જે વાણી વર્તનથી સમજાય
શ્રધ્ધારાખી જલાસાંઇને ભજતા,અનંત શાંન્તિ મળીજાય
મોહમાયાની ચાદર મોટી,જો કદીક ભુલથી ઓઢાઇ જાય
જન્મોજન્મની સાંકળજ્યાં વળગે,નાકોઇ જીવથી છટકાય
.                      ………………….આગળ ચાલવા અણસાર મળે.
જીવ દેહને સંબંધ છે સીધા,જે કર્મના બંધનથી મેળવાય
મનનેમળેશાંન્તિ અનોખી,જે કૃપાઅંતરયામીની કહેવાય
ભુલી ભુતકાળને જીવનમાં,ત્યાં આવતીકાલ ઉજ્વળથાય
સમજણનો સહવાસ મળતાં,જીવને મોક્ષ માર્ગ મળી જાય
.                         ………………..આગળ ચાલવા અણસાર મળે.

++++++++++++++++++++++++++++++++++++