અંતરયામી
. .અંતરયામી
તાઃ૧૭/૪/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આગળ ચાલવા અણસાર મળે,ને મનમાંય મંથન થાય
સમજણ સાચી કૃપાએમળતાં,અંતરયામી ને ઓળખાય
. …………………આગળ ચાલવા અણસાર મળે.
જીવને ઝંઝટ કર્મથી મળે છે,જે વાણી વર્તનથી સમજાય
શ્રધ્ધારાખી જલાસાંઇને ભજતા,અનંત શાંન્તિ મળીજાય
મોહમાયાની ચાદર મોટી,જો કદીક ભુલથી ઓઢાઇ જાય
જન્મોજન્મની સાંકળજ્યાં વળગે,નાકોઇ જીવથી છટકાય
. ………………….આગળ ચાલવા અણસાર મળે.
જીવ દેહને સંબંધ છે સીધા,જે કર્મના બંધનથી મેળવાય
મનનેમળેશાંન્તિ અનોખી,જે કૃપાઅંતરયામીની કહેવાય
ભુલી ભુતકાળને જીવનમાં,ત્યાં આવતીકાલ ઉજ્વળથાય
સમજણનો સહવાસ મળતાં,જીવને મોક્ષ માર્ગ મળી જાય
. ………………..આગળ ચાલવા અણસાર મળે.
++++++++++++++++++++++++++++++++++++