આવતી વ્યાધી
. .આવતી વ્યાધી
તાઃ૯/૪/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં તો ઝંઝટ આવે,ના કોઇથીય એ રોકાય
સમયને સમજી ચાલી લેતાં,ના કોઇથીય ટોકાય
. ……………….જીવનમાં તો ઝંઝટ આવે.
માનવ જીવન એ સુખની સાંકળ,દુઃખથી બચાય
ભક્તિ કેરી કેડી પકડતાં,સ્વર્ગીય સુખ મળી જાય
મનને મળતાં અનંત શાંન્તિ,નિર્મળ જીવન થાય
જલાસાંઇની કૃપાએ,આવતી વ્યાધી અટકી જાય
. ………………..જીવનમાં તો ઝંઝટ આવે.
અનંત રાહો જીવની સામે.ના કોઇથીય છટકાય
સમજણ મનને સાચી મળતાં,ના માયા અથડાય
આજકાલને પકડી ચાલતાં,સમય સમજાઇ જાય
દેહ છુટતાં અવનીએથી,સ્વર્ગના દ્વાર ખુલી જાય
. ……………….જીવનમાં તો ઝંઝટ આવે.
++++++++++++++++++++++++++++++++++++