April 16th 2012

જન્મદીન

 

 

.

.

.

.

.

.

.

.                              .જન્મદીન

તાઃ૧૬/૪/૨૦૧૨    મારા પિતાજીનો    તાઃ૧૬/૪/૧૯૨૦

જન્મદીનની જ્યોત પ્રગટાવવા,આવ્યા પિતાજી અહીં
પ્રેમને સાગર મેળવી લેતા,આજે ૯૩વર્ષના થયા ભઈ
.                    ………………..જન્મદીનની જ્યોત પ્રગટાવવા.
તનથી મહેનત જીવનમાં કરી છે,ને મનથી કરી ભક્તિ
ઉજ્વળ જીવનનીરાહ દીધી સંતાનને,કૃપાપ્રભુની લઈ
મોહમાયાને દુર રાખીને,સૌના કામ સરળ કર્યા છે ભઈ
આનંદ અમને તેનો છે અમને,જન્મસફળ કર્યો છે અહીં
.                    ………………..જન્મદીનની જ્યોત પ્રગટાવવા.
મારાની ના માયા તેમને ,કે ના મળ્યા જગતના મોહ
ભણતરનીકેડી દીધી સંતાનને,જે બની જીવનનીલેખ
જલાસાંઇની કૃપા મળતાં,મને મળી ભક્તિની જ્યોત
સુખ શાંન્તિની રાહ મેળવી,આજે જીંદગી સુધરી ગઈ
.                    ……………….જન્મદીનની જ્યોત પ્રગટાવવા.
માતાપિતાની ભક્તિ સાચી,ના મોહમાયા મળી ભઈ
સંતાનના સંતાનને જોવા,આજે આવી ગયા છે અહીં
મળેકૃપા માબાપની સંતાનને,જ્યાંલાગણી મળીગઈ
વર્ષોવર્ષએ સુખેથીજીવે,એવી સંતાનની પ્રાર્થનાથઈ
.                   ………………..જન્મદીનની જ્યોત પ્રગટાવવા.

=================================================

.             આજે મારા પુજ્ય પિતાજી રમણલાલ કાળીદાસ બ્રહ્મભટ્ટ સુખી જીવનની કેડીમાં
૯૩મા વર્ષમાં પ્રવેશ કરે છે તેમને સંત પુજ્ય જલાબાપા અને પુજ્ય સાંઇબાબાની કૃપાથી
ભક્તિ અને સંતાનનો પ્રેમ  અખંડ મળ્યો છે.આજે મારે ત્યાં પિતાજી આવી અમારા ઘરને
અને જીવનને પવિત્ર કરી અને સ્વર્ગીય માર્ગની દોરી બતાવી રહ્યા છે.પરમાત્મા તેમની
સર્વ મનો કામના પુર્ણ કરી જીવને શાંન્તિ આપે તે પ્રાર્થના.

ચી.પ્રદીપ તથા પરીવારની તેમના જન્મદીનની શુભેચ્છા..