કીર્તી કેરા વાદળ
. .કીર્તી કેરા વાદળ
તાઃ૧૫/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અપેક્ષાઓને આઘી મુકીને,અભિમાનને જ્યાં ત્યજાય
મળી જાય કીર્તીના વાદળ,ત્યાં આજીવન મહેંકીજાય
. ……………….અપેક્ષાઓને આઘી મુકીને.
માનવ જીવન મળે અવનીએ,સરળ જીવન સમજાય
મિથ્યા માયા મોહ છોડતાં,પાવનકર્મ જીવનમાં થાય
ભક્તિકેરો સરળ માર્ગ,જલાસાંઈનીકૃપાએ મળી જાય
મુક્તિના એંધાણ મળે જીવને,જે દેહના વર્તને દેખાય
. ………………….અપેક્ષાઓને આઘી મુકીને.
સ્નેહની સાચીરાહ મળતાં,જીવને અનંત આનંદથાય
મળેલ દેહને પ્રેમના દરીયે,ઉજ્વળ ભાવિ મળી જાય
કરેલકામની કદરઅનોખી.કીર્તી કેરા વાદળ દઈજાય
સાચી શ્રધ્ધા મનથીકરતાં,જીવે સુખ સાગર છલકાય
. …………………. અપેક્ષાઓને આઘી મુકીને.
+++++++++++++++++++++++++++=