પરખ પ્રેમની
. પરખ પ્રેમની
તાઃ૧૧/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળતાના સંગે માનવી,અનેક આફતોથી અથડાય
પરખ ના સાચાપ્રેમની મળે,ત્યાં મુંઝવણ વધતી જાય
. …………………નિર્મળતાના સંગે માનવી.
જન્મ મળતા જીવને અવનીએ,અનેક રાહ મળી જાય
સમજણનો સંગાથ રાખતાજ,વ્યાધીઓ ભાગતી જાય
કળીયુગની છે કાતર અટુલી,ના માનવતાને મેળવાય
સમજની સાચી રાહ છુટતા,જીવ અહીં તહીં ભટકી જાય
. ………………….નિર્મળતાના સંગે માનવી.
મળી જાય માયાનેમોહ જીવનમાં,ના કોઇથીય છટકાય
પ્રેમમળે જીવનમાં દેહને અંતરનો,સ્નેહ સાંકળસચવાય
પરખ પ્રેમની જીવને સમજાય,જ્યાં નિખાલસ મેળવાય
આવી અંતરને આનંદ મળે,એ સાચો પ્રેમ મળ્યો કહેવાય
. ………………….નિર્મળતાના સંગે માનવી.
====================================