પ્રેમની સાંકળ
. પ્રેમની સાંકળ
તાઃ૧૩/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરમાં અજવાળુ થાય,ને જીવને રાહત મળી જાય
ઉજ્વળ પ્રેમની સાંકળ નિરાળી,શિતળ સ્નેહ દઈજાય
. …………………અંતરમાં અજવાળુ થાય.
માનવતાની મહેંક પ્રસરતા,હૈયે અનંત આનંદ થાય
પ્રેમનીકેડી શિતળ મળતાં,જીવનમાં શાંન્તિ થઇજાય
અગમનિગમના ભેદ અનેરા,પ્રભુકૃપા એજ સમજાય
નિર્મળ જીવન જીવતા,મળેલ જન્મ સફળ થઈ જાય
. …………………અંતરમાં અજવાળુ થાય.
લાગણીમોહ તો કળીયુગના બંધન,ના કોઇથી છુટાય
જલાસાંઇની ભક્તિના સંગે,સંસાર પણ ઉજ્વળ થાય
આધી વ્યાધી ના આવે સંગે,જ્યાં નિર્મળતા મહેંકાય
મળતી મુંઝવણ દુરજ ભાગે,જ્યાં કળીયુગથી છટકાય
. ………………….અંતરમાં અજવાળુ થાય.
++++++++++++++++++++++++++++++++++