June 20th 2013

બારણે ટકોરા

.                      .. બારણે ટકોરા

તાઃ૨૦/૬/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિચારની કેડી મળે મનને,જ્યાં બારણે ટકોરા સંભળાય
કોણ આવ્યું  છે બારણે મારે,મનમાં અનેક વિચારો થાય
.                               …………….વિચારની કેડી મળે મનને.
ઉજ્વળ સુર્યના કિરણને જોતા,પ્રભાત થઇ એમ કહેવાય
મનને શાંન્તિ મળેજ કૃપાએ,જ્યાં સુર્ય અર્ચના પ્રેમે થાય
પડ્યાટકોરા બારણે મારે,આગમનનો અણસાર મળી જાય
બારણુ ખોલતા વડીલ જોતાં,સંકેત જલાસાંઇનો મળી જાય
.                               ……………..વિચારની કેડી મળે મનને.
ભક્તિ સાચી પ્રેમથી કરતાં,જીવથી ઉજ્વળ રાહ મેળવાય
અપેક્ષાના વાદળતુટતાં,સાચાસંતની કૃપા જીવ પર થાય
આવીને આંગણે પ્રભુ રહે,જ્યાં ભક્તિ પ્રેમ નિખાલસ થાય
જીવની જ્યોત પ્રગટે કૃપાએ,જીવને મુક્તિમાર્ગ મળી જાય
.                                  …………….વિચારની કેડી મળે મનને.

=========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment