February 5th 2014

આગમન જીવનુ

.                  આગમન જીવનુ

તાઃ૫/૨/૨૦૧૪                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પૃથ્વી પરનુ આગમન જીવનુ,દેહ થકી અવનીએ દેખાય
સગા સંબંધીને સાચવી લેતા,આનંદ વિદાયથી સમજાય
.                   ………………….પૃથ્વી પરનુ આગમન જીવનુ.
મળતા માનવદેહ જીવને,એજ કૃપા પરમાત્માની કહેવાય
ઉજ્વળ જીવનની કેડીને લેવા,સાચી શ્રધ્ધાએ ભક્તિ થાય
સંબંધ મળેલ અવનીએ જીવને,જે કર્મના બંધનથી લેવાય
નિર્મળ રાહ રાખીને જીવતા,મળેલ જીવન સરળ થઈ જાય
.                    …………………પૃથ્વી પરનુ આગમન જીવનુ.
માનવજીવન નિખાલસતાએ જીવતા,ભક્તિમાર્ગ મેળવાય
આગમન અવનીપરનુ જીવનુ,જે કર્મના બંધને જ સહેવાય
કરેલ કર્મને ભુલી જતા જીવનમાં,અનેક સંબંધો છુટતા જાય
ભક્તિકેરા એકજ માર્ગથી,સંત જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
.                  …………………..પૃથ્વી પરનુ આગમન જીવનુ.
કર્મ લાવે ખેંચી જીવને અવનીએ,જે દેહ થકી જ દેખાઇ  જાય
આગમન થયેલ જીવને સમયે,વિદાયનીકેડી પણ મળીજાય
કર્મ જ જીવની સાંકળ છે જગતમાં,ના કોઇનાથી ય છટકાય
સાચા સંતની સેવા ભક્તિએ,જીવને  મુક્તિમાર્ગ મળી જાય
.                ……………………પૃથ્વી પરનુ આગમન જીવનુ.

===================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment