સમયની પરખ
. સમયની પરખ
તાઃ૪/૧૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની શીતળ કેડી મળે જીવનમાં,જ્યાં સમજીને ચલાય
માનવદેહને મતીમળીછે,જે જીવનની સરળરાહ બની જાય
…………….સમય પારખીને ચાલતા,ના આધી વ્યાધી મળી જાય.
મળે સમજ અને સંસ્કાર માબાપથી,જીવને રાહ આપી જાય
માનવતાની નિર્મળકેડી મળે,જ્યાં સાચી શ્રધ્ધા ભક્તિથાય
અવનીપરનુ આગમન એતો કર્મના બંધન,સમયે સમજાય
સરળ જીવનની કેડી મળે જીવને,જ્યાં સમયની પરખ થાય
………………સમય પારખીને ચાલતા,ના આધી વ્યાધી મળી જાય.
બાળપણમાં સંસ્કાર સાચવતા,જીવથી નિર્મળ રાહ મેળવાય
જુવાનીના પગથીયે ચડતાં,સાચી મહેનતે ભણતરને લેવાય
મળે જીવનમાં રાહસાચી અવનીએ,જે ઉજ્વળતા આપી જાય
ના માગણી ના અપેક્ષા રહેતાં,માનવજીવન સાર્થક થઇ જાય
……………..સમય પારખીને ચાલતા,ના આધી વ્યાધી મળી જાય.
======================================